Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં નગરપાલિકા કર્મચારીઓના આંદોલનથી શહેરમાં રહ્યું આજે પાણી કાપ, આવતી કાલે માર્ગો પર અંધાર પટ.

Share

રાજ્ય સરકાર સામે પોતામાં પડતર પ્રશ્નોની માંગણીઓને લઇ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહા મંડળ તેમજ અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળના આદેશથી ભરૂચ નગરપાલિકાના કર્મીઓ પણ હડતાળમાં જોડાયા છે, તેમજ વિવિધ સેવાઓ બંધ કરી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.

નગર પાલિકા કર્મીઓને આંદોલનને લઇ પ્રજાને હાલાકીનો સામનો વેઠવો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે, જેમાં ખાસ કરી આંદોલનને લઇ કર્મીઓ દ્વારા વિવિધ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં અવ્યો છે, જેમાં આગામી તારીખ ૧૮/૧૦/૨૦૨૨ ના રોજ પાણી પુરવઠો બંધ રહેશે તેમજ તારીખ ૧૯ ના રોજ સ્ટ્રીટ લાઈટો બંધ રખાશે તથા ૨૦ ના રોજ સફાઈને લગતી કામગીરી બંધ રખાશે સાથે સાથે ૨૧ તારીખના દિવસે આવશ્યક સેવાઓને લગતી તમામ પ્રકારની કામગીરી બંધ રાખી કર્મચારીઓ પોતાનો વિરોધ નોંધાવશે તેમ કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement

આમ પાલિકા કર્મીઓને આંદોલનના કારણે ભરૂચ જિલ્લામાં આવતી નગર પાલિકા હદ વિસ્તારોમાં વસતા લોકોને હાલાકીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે, તો બીજી તરફ નગર પાલિકાના કર્મીઓ પણ પોતાની માંગણીઓને લઇ સરકાર સામે આક્રમક અંદાજમાં લડી લેવાના મૂડમાં લાગી રહ્યા છે, ત્યારે આખરે આ આંદોલનનો અંત અથવા કોઈ રસ્તો નીકળે છે કે કેમ તેના પણ સૌ કોઈની નજર મંડરાઇ રહેલી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99254 22744


Share

Related posts

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ એની હોમ લોનની અવધિને વધારીને 40 વર્ષ કરે છે, જે ઇન્ડસ્ટ્રીમાં નિમ્નતમ ઈએમઆઈ પ્રસ્તાવિત કરે છે

ProudOfGujarat

રથયાત્રાને લઈ ભરૂચમાં ટ્રાફિક નિયંત્રણ: કસક સર્કલથી ઝાડેશ્વર ચોકડી તરફનો એક તરફનો માર્ગ રહેશે બંધ :  16 જુલાઈએ બપોરે 3થી રાત્રે 8 વાગ્યા સુધી ભારે વાહનો, લક્ઝરી અને મીની બસોની અવરજવર પર પ્રતિબંધ

ProudOfGujarat

લઠ્ઠાકાંડના વિરોધમાં રાજપીપલા ખાતે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!