Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકામાં કોરોના સંક્રમણના વધતા કેસોથી જનતામાં ફફડાટ.

Share

ભરૂચ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણથી જનતા ભયભીત બની છે. ઝઘડિયા તાલુકામાં પણ કોરોનાના કેસ વધતા જનતા ચિંતિત બની છે. મળતી માહિતી મુજબ ઝઘડિયા તાલુકામાં વધુ બે નવા કોરોના સંક્રમિત પોઝિટિવ કેસ આવ્યા છે. જેમાં ઝઘડિયાના હનુમાન ફળિયામાં રહેતા વેપારી પંકજભાઈ ઝવેરભાઇ શાહ ઉ.વ ૫૧ તથા પીપદરા ગામની મહિલા કામીનીબેન કાંતિભાઈ ઉ.વ ૨૯ ના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે ઝઘડિયા તાલુકામાં કોરોના પોઝિટિવનો આંક ૪૫ ને આંબી ગયો હોવાનું જાણવા મળ્યુ છે. ભાલોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પીપદરા ગામમાં કન્ટેન્મેન્ટ ઝોન અને બફર ઝોનમાં સર્વેની કામગીરી કરવામાં આવી હતી અને કોરોના પોઝિટિવ દર્દીને સારવાર માટે કોવિડ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા.ઝઘડિયા પીએસસી દ્વારા ૨૫ પરીવારના સર્વે કરી ૧૨૭ જેટલા સભ્યોને જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકામાં દિવસે દિવસે કોરોના સંક્રમિત કેસો વધી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય ગણાય છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરમાં આતંક મચાવતા કપી રાજને પકડ્યો

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 18 કોરોના પોઝીટિવ દર્દી નોંધાતા કુલ દર્દી 1596 થયા.

ProudOfGujarat

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં ત્રણ વર્ષથી દવાખાનુ ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!