Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના અશાના રામજી મંદિરના ઉત્તરાધિકારીની ચાદર વિધિનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે અસંખ્ય પૌરાણિક મંદિરો આવેલા છે જેનું સંચાલન સ્થાનિક ગ્રામજનો તથા સાધુ સંત સમાજના સહયોગથી કરવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના અશા ગામના શ્રી રામજી મંદિર ના ઉતરાધિકારીની ચાદર વિધિ નો કાર્યક્રમ આજરોજ સંપન્ન થયો હતો. શ્રી સીતારામ તથા હનુમાનજી મહારાજની કૃપાથી રામજી મંદિર અશા ના મહામંડલેશ્વર શ્રીરામ સેવકદાસજી (શાસ્ત્રીજી) ની ચાદર વિધિ નું આયોજન મહંત મનમોહનદાસજી ગુરૂ રામ લક્ષ્મણદાસજી ગુમાનદેવ મંડળના અધ્યક્ષતામાં યોજાયું હતું, ઉપરાંત અલગ અલગ મંદિરોના સાધુ સંતો મહંતો આ ચાદર વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે ૧૦:૦૦ કલાકે ચાદર વિધિનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો, ત્યારબાદ સાધુ સંતો તથા સ્થાનિક ભક્તો, શ્રદ્ધાળઓ માટે મહાપ્રસાદ નું આયોજન ૧૨:૦૦ કલાકે કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: ભરૂચ એલસીબીએ વિદેશી દારૂની બોટલો સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

અંકલેશ્વરની રાજપીપલા ચોકડી પાસે હાઇવા અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

ભરૂચ : જગન્નાથજીની શોભાયાત્રામાં પરિણામલક્ષી ફરજ બજાવવા બદલ પોલીસ સ્ટાફને અભિનંદન પાઠવતા જિલ્લા પોલીસ વડા ડૉ.લીના પાટિલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!