Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના અશાના રામજી મંદિરના ઉત્તરાધિકારીની ચાદર વિધિનો કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના નર્મદા કિનારે અસંખ્ય પૌરાણિક મંદિરો આવેલા છે જેનું સંચાલન સ્થાનિક ગ્રામજનો તથા સાધુ સંત સમાજના સહયોગથી કરવામાં આવે છે. ઝઘડિયા તાલુકાના અશા ગામના શ્રી રામજી મંદિર ના ઉતરાધિકારીની ચાદર વિધિ નો કાર્યક્રમ આજરોજ સંપન્ન થયો હતો. શ્રી સીતારામ તથા હનુમાનજી મહારાજની કૃપાથી રામજી મંદિર અશા ના મહામંડલેશ્વર શ્રીરામ સેવકદાસજી (શાસ્ત્રીજી) ની ચાદર વિધિ નું આયોજન મહંત મનમોહનદાસજી ગુરૂ રામ લક્ષ્મણદાસજી ગુમાનદેવ મંડળના અધ્યક્ષતામાં યોજાયું હતું, ઉપરાંત અલગ અલગ મંદિરોના સાધુ સંતો મહંતો આ ચાદર વિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સવારે ૧૦:૦૦ કલાકે ચાદર વિધિનો કાર્યક્રમ પૂર્ણ થયો હતો, ત્યારબાદ સાધુ સંતો તથા સ્થાનિક ભક્તો, શ્રદ્ધાળઓ માટે મહાપ્રસાદ નું આયોજન ૧૨:૦૦ કલાકે કરવામાં આવ્યું હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

અભિનેત્રી કશિકા કપૂરે તેની પહેલી બોલિવૂડ ડેબ્યુ ફિલ્મ ડિરેક્ટર પ્રદીપ ખૈરવીરની આગામી રોમ-કોમને મજબૂત સંદેશ સાથે જાહેર કરી.

ProudOfGujarat

પ્રાંતિજના અંબાવાડાના ઈસમની ગાડીનો કાચ તોડી સોનાનાં દાગીનાની ચોરી કરી ઇસમો ફરાર.

ProudOfGujarat

રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર તથા ઇનરવહીલ ક્લબ ઓફ અંકલેશ્વર દ્વારા નેત્ર તથા દાંત ચિકિત્સા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!