Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ત્રણ વર્ષ પહેલા થયેલા હત્યાના કેસમાં સાત ઈસમોને આજીવન કેદની સજા

Share

ત્રણ વર્ષ અગાઉ કપડવંજ તાલુકાના નારના મુવાડામાં અગાઉ થયેલ એક સામાન્ય બોલાચાલીની રીસ રાખી એક જ કુટુંબના આઠ ઈસમોએ એક યુવાનને લાકડીઓથી માર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.
આ કેસમાં કપડવંજ સેશન્સ અદાલતે સાત ઈસમોને આજીવન કેદની સજા ફટકારી ચુકાદો આપ્યો છે.

કપડવંજ તાલુકાના નારના મુવાડામાં રહેતા ૩૪ વર્ષીય વિનોદભાઈ જેઠાભાઈ પ્રજાપતિએ તેમના ઘર નજીક ઢોરઢાખરના છાણનો ઉકરડો બનાવ્યો હતો. ઉકરડાને ભવાન બુધાભાઈ પરમારે કપાસની સાઠીઓ નાંખી ઢાંખી દીધો હતો. જે બાબતે બોલાચાલી થઈ હતી. બનાવના બે ચાર દિવસ બાદ  તા.૫ મે ૨૦૨૦ ના રોજ તુ સાઠીઓ લેવાનું કેમ કહેતો હતો કહી ગમે તેમ બોલવા લાગ્યા હતા. બાદમાં ફળીયામાં જ તેમના
કુટુંબના માણસો સહિત આઠેય  ઈસમોએ લાકડીઓ લઈ આવી  વિનોદભાઈને ખેંચીને ખુલ્લી  જગ્યામાં લઈ ગયા હતા. જ્યાં લાકડીઓથી માર મારતા વિનોદભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. છોડાવવા વચ્ચે પડનાર પર પણ પથ્થરમારો કર્યા હતા. વિનોદભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે મૃતકની પત્નિની ફરિયાદને આધારે કપડવંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ કપડવંજ સેશન્સ અદાલતના જજ વી.પી. અગ્રવાલની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મિનેષ આર. પટેલની દલીલો, પુરાવાને ધ્યાને લઈ અદાલતે સાત ઈસમોને આજીવન કેદની સજા ફટકારી હતી. એક જ કુટુંબના પિતા, પુત્રો સહિતના સભ્યોને એકસાથે આજીવન કેદની સજા પડતા જ તેમના પરિવારજનોની આંખો ભીની થઈ ગઈ હતી.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ ના ધોળીકુઈ મારવાડી ટેકરા નજીક થી પાના પત્તા નો જુગાર રમતા ચાર ઇશ્મો ને હજારો ના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા ………

ProudOfGujarat

કેવડિયા ડીવાયએસપી ત્યાગીની ગાડી પર હુમલો થયેલ જંતર ગામેથી પોલીસે વિદેશી દારૂ સહિત 10 લાખના મુદ્દામાલ સાથે 14 લોકોને ઝડપી પાડ્યા.

ProudOfGujarat

ભરૂચ ખોડલધામ યુવા સમિતિ દ્વારા લાપસી મહોત્સવ ઉજવાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!