Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં મકાન માલિકો સામે પોલીસ કાર્યવાહી, જો તમે મકાન ભાડે આપ્યું છે કોઈને તો આટલુ જરૂર ધ્યાન રાખજો બાકી ગયા પોલીસ સ્ટેશને સમજો

Share

સામાન્ય રીતે એક કરતા વધુ મકાન ધરાવનાર વ્યક્તિઓ પોતાના અન્ય મકાનને ભાડેથી આપી આર્થિક રીતે પોતાને ફાયદો થતો રહે અને મકાનની જાણવણી પણ રહે તેવું વિચાર કરી મકાન જે તે વ્યક્તિઓને ભાડે આપી દેતા હોય છે, જે બાદ એ મકાનમાં રહેતા ભાડુઆત દ્વારા કોઈ અસામાજિક પ્રવૃતિ કે લડાઈ ઝઘડા અથવા કાયદાકીય કોઈ પ્રકાર ગુનાખોરીની ઘટના ભાડુઆત સર્જે ત્યારે તપાસમાં મકાન માલિકો પણ કેટલાક બનાવોમાં કાયદાની ચૂંગાલમાં ફસાઈ જતા હોય છે અને આખરે તેઓને પણ પોલીસ મથક સુધી પહોંચી જવુ પડતું હોય છે.

ભરૂચના મકતમપૂર અને ઝાડેશ્વર ગામ વિસ્તારમાં અનેક લોકોએ પોતાના મકાન ભાડેથી આપ્યા છે, જેમાં પણ મોટાભાગના ભાડુઆત પ્રર પ્રાંતિય છે, બે દિવસ અગાઉ આજ પ્રકારે કેટલાક પરપ્રાંતિય ઈસમોનું ટોળું અંદરો અંદર મારામારી કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા જે બાદ પોલીસે એક્શનમાં આવી ફૂટેજની મદદથી કાર્યવાહીની તજવીજ શરૂ કરી હતી, તો બીજી એક ઘટનામાં જમીનના ઝઘડામાં પણ પરપ્રાંતિય ઈસમ ઉપર પોતાના જ પુત્ર એ ફાયરિંગ કરાવ્યું હોવાની ચકચારી ઘટના સર્જાઈ હતી.

એક બાદ એક ઘટનાઓ સામે આવતા હવે ભરૂચ પોલીસ પણ એક્શનમાં આવી છે, સી ડિવિઝન પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ મકતમપુર અને ઝાડેશ્વર ગામ ખાતેના અનેક ભાડુઆત મકાનો ઉપર પોલીસ વિભાગની ટિમો એ ચેકીંગ હાથ ધર્યું હતું અને જે તે મકાનના માલિકો એ ભાડુઆત અંગેની માહિતી અથવા પોલીસ વેરિફિકેશન કરાવ્યું છે કે કેમ તે દિશામાં તપાસ હાથધરી હતી.

Advertisement

સી ડિવિઝન પોલીસે પોલીસ મથકમાં ભાડુઆતનું વેરિફિકેશન ન કરાવનાર પાંચથી વધુ મકાન માલિકો સામે ગુનો દાખલ કર્યો છે, તેમજ તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, આમ કાયદાકીય રીતે ઢીલાસ દાખવનારા મકાન માલિકોને આખરે હવે પોલીસ મથકના દાદર ચઢવાની નોબત આવી પડી હતી.


Share

Related posts

ભરૂચ-દહેજની મેઘમણી કંપનીમાં વહેલી સવારે આગનો બનાવ,૧ નું મોત ૫ થી વધુ ઘાયલ…

ProudOfGujarat

નર્મદા નદીમાં એનસીટીએલ કંપની દ્વારા થઇ રહેલા પાણી પ્રદુષણને રોકવા ફરી એકવાર GPCB ને રજુઆત.

ProudOfGujarat

નગરપાલીકા કારોબારીમાં ઉપપ્રમુખ સહિત અન્ય સભ્યો હાજર નહી રહીને કર્યો વિરોધ્ધ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!