Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડીયા મુકામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી. ઝઘડિયા તાલુકા ભાજપ સંગઠનના ઉપક્રમે ઝઘડિયા સુલતાનપુરાની સરસ્વતી વિદ્યામંદિર શાળા ખાતે આયોજિત કાર્યક્રમમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજપિપલા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું તેનું જીવંત પ્રસારણ અત્રે ઉપસ્થિત કાર્યકરો અધિકારીઓ તેમજ જનતાએ નિહાળ્યુ હતુ. ઉપરાંત વિવિધ યોજનાઓ અંતર્ગત ઝઘડિયા તાલુકાના લાભાર્થીઓને સહાય વિતરણનો કાર્યક્રમ પણ રાખવામા આવ્યો હતો.

અત્રે આયોજિત ક‍ાર્યક્રમમાં સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્રા અમલીકરણ સમિતિના ચેરમેન આઈ. કે. જાડેજા,ભાજપા પ્રદેશ મંત્રી ભરતસિંહ પરમાર, સામાજિક આગેવાન રવજીભાઈ વસાવા, જિલ્લા સંગઠનના મહામંત્રી નીરલભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ રીનાબેન વસાવા, ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ, કાલાભાઇ વસાવા, તાલુકા ભાજપા પ્રમુખ અતુલ પટેલ, મહામંત્રીઓ ભુપેન્દ્રસિંહ રાઠોડ અને કેતવભાઇ સહિત તાલુકાના હોદ્દેદારો, અધિકારીઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે આયોજિત કાર્યક્રમનું મહત્વ સમજાવીને આજે રાષ્ટ્ર જ્યારે આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યુ છે ત્યારે આદિવાસી ભાઇ બહેનોને તેમના હક પુરતા પ્રમાણમાં મળે તેમજ દેશની વર્ષો જુની આદિવાસી સંસ્કૃતિનું રક્ષણ થાય તે જોવાની સહુકોઇની ફરજ છે એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ગોધરા : બી ડીવીઝન પોલીસે ગેરકાયદેસર લાકડાની હેરાફેરી ઝડપી પાડી, વધુ તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ.

ProudOfGujarat

માંગરોળ : રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં પ્રમુખ પદે દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રીપદે સતીશ પટેલનો હેટ્રિક સાથે સતત ત્રીજી વખત ભવ્ય વિજય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!