Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : દુષ્કર્મના કેસમાં કપડવંજ નવાગામના એક ઇસમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Share

૧૭ વર્ષની સગીરાને ભગાડી જઈ તેના પર અવારનવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કપડવંજના નવાગામના એક ઇસમને  આજીવન કેદની સજા નડિયાદ સેશન્સ કોર્ટે ફટકારી છે.

કપડવંજ તાલુકાના નવાગામ ખોડિયાર માતાના મંદિરની બાજુમાં રહેતો ૨૦ વર્ષીય દર્શન મફતભાઈ ખોડભાઈ ખાંટ ગત તા.૨૨ મે ૨૦૨૦ ના રોજ બપોરે કપડવંજ સોની બજારમાં રોડ પરથી ૧૭ વર્ષની સગીરાને ભગાડી ગયો હતો. તે સગીરવયની હોવાનું જાણવા છતાં તેને લલચાવી, લગ્ન કરવાની લાલચ આપી તેના વાલીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈ તેના પર મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ અંગે કલ્લાના સૌથી મોટાં કપડવંજના કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ નડિયાદના સ્પે.જજ (પોકસો) પી. પી.પુરોહિતની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વિ.ઠાકુરની દલીલો, ૯ સાક્ષીઓની જુબાની,  ૨૯ જેટલા દસ્તાવેજી પુરાવા, સગીરાઓ પર દિનપ્રતિદિન વધતા જતા દુષ્કર્મના બનાવોને પગલે આવા કિસ્સાઓ બંધ થાય તે માટે આરોપીને કડકમાં કડક સજા આપવી તેવી સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

અંકલેશ્વર : વીજ ટ્રાન્સફોર્મર ચોરીઓનો સિલસિલો યથાવત, વધુ કેટલાય ગામોમાંથી તસ્કરોએ ચોરીની ઘટનાને આપ્યો અંજામ, જાણો વધુ.

ProudOfGujarat

નગરપાલિકાની દબાણ હટાવ કામગીરી સામે સ્થાનિકોએ બાંયો ચઢાવી.

ProudOfGujarat

નર્મદા જિલ્લાને વધુ ૨૦૦ ઓક્સિજન સિલિન્ડરનો જથ્થો પ્રાપ્ત થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!