Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ અને વડોદરા જિલ્લાના નર્મદા નદી કાંઠે નીતિ નિયમો નેવે મૂકી રેતી ખનન ચાલતું હોવાના કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાના આક્ષેપ

Share

નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર આચરાઈ રહ્યો છે. જેમાં શાસક પક્ષના નેતાઓ અને લીઝ ધારકોની મિલીભગતથી ગેરકાયદેસર પ્રવૃત્તિ મોટા પ્રમાણમાં થતી હોવાથી સરકારી તિજોરી ઉપર વિપરીત અસર ઊભી થવા અંગે કમિશનર ડો. ધવલ પટેલને પ્રદેશ કોંગ્રેસના જનરલ સેકેટરી સંદીપ માંગરોલા દ્વારા પત્ર લખી રજુઆત કરવામાં આવી છે તેમજ જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે.

સંદીપ માંગરોલા એ લખેલ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે ભરૂચ અને વડોદરા જિલ્લાના નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં ઝનોર તેમજ અંગારેશ્વર તરફ અનેક વખત ગેરકાયદેસર રીતે લીઝ ધારકો દ્વારા રેતીનું ખનન કરવાની બાબતો ભૂતકાળમાં સામે આવી ચુકી છે, જે બાદ ખાણ અને ખનીજ વિભાગ રાજકીય દબાણના કારણે કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

Advertisement

સાથે સાથે તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે સ્થાનિક ભાજપ ના નેતાઓની સાઠ ગાંઠના કારણે ગેરકાયદેસર પ્રવૃતિ ચાલી રહી છે, જેને પગલે સરકારી તિજોરીને મોટુ નુકશાન થઈ રહ્યું છે અને આ સ્થળે મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતું હોવાના આક્ષેપ કરી જવાબદારો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


Share

Related posts

ભરૂચ ખાતે સુશાસન દિનની ઉજવણી અંતર્ગત શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ યથાવત,આજે 29 કેસો સાથે આંકડો 550 પર, સાવચેતી એ જ સલામતી તરફ જિલ્લો..!!!

ProudOfGujarat

પેટ્રોલના ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!