Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ ખાતે ગિરનાર કાઠિયાવાડી હોટલનું સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે ઉદઘાટન કરાયું

Share

ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલી નવ નિર્મિત ગીરનાર કાઠિયાવાડી હોટલનું ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાંસદ મનસુખભાઇ વસાવાએ રીબીન કાપી હોટલ ખુલ્લી મૂકી હતી. ત્યારબાદ હોટલમાં શાસ્ત્રોક્ત વિધિમાં પણ જોડ્યા હતા. સાથે સાથે તેઓએ દશેરાના પાવન પર્વ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

હોટલ નિરંતર પ્રગતિના સોપાન સર કરે એવી શુભકામનાઓ પાઠવી હતી. સાથે સાથે ગીરનાર કાઠિયાવાડી હોટલના સંચાલક જયેશ કાઠિયાવાડીને પણ શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ભરૂચના પુર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, કરજણ – શિનોર – પોરના ધારાસભ્ય અક્ષય પટેલ, સલીમ વકીલ સહિત ભાજપના પદાધિકારીઓ કાર્યકરો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

યાકુબ પટેલ પાલેજ

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહને સૂત્રધાર તરીકે લઈને રેડિયો વન પર #1 ટ્રાવેલ શો – ‘ગેટ સમ સન’ રજૂ કરે છે

ProudOfGujarat

નડિયાદ ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત: કસકમાં દિવાલ ધરાશાયી, નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર  :  એસડીએમ અને નગરપાલિકાના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી; વરસાદ બંધ થતાં પાણી ઓસરતા લોકોએ રાહત અનુભવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!