Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક વેપારીની કારના કાચ તોડી લાખોની મત્તા ભરેલ બેગ લઈ અજાણ્યા ઈસમો ફરાર થતા ચકચાર

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં આજે બપોરના સમયે પ્રતિન ચોકડી વિસ્તારમાં લૂંટ જેવી ઘટનાને અંજામ આપી અજાણ્યા ઈસમો ફરાર થતા ભારે ખળભળાટ મચ્યો હતો, જાણવા મળતી માહિતી મુજબ કોઈક અજાણ્યા બાઈક સવાર ઈસમોએ પાર્કિંગમાં ઉભેલી કારના કાચ તોડી અંદર રહેલ બેગ લઈ ફરાર થઈ ગયા હતા.

ઘટના અંગેની જાણ ગાડીના માલિકને થતા તેઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી જઈ મામલા અંગે નજીકના પોલીસ મથકે જાણ કરી હતી, જે બાદ પોલીસનો કાફલો સ્થળ ઉપર પહોંચી જઈ ઘટનાને અંજામ આપનારા તત્વોનું પગેરું શોધવાની કવાયત હાથધરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે સમગ્ર ધોળે દિવસે સતત લોકોથી ધમધમતા વિસ્તારમાં આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો, વધુમાં નજીકમાં જ થોડા અંતરે પોલીસ ચોકી આવેલ હોય બેખોફ અને બિન્દાસ બનેલા ગુનેગારી તત્વોએ પોલીસને પણ પડકાર ફેંક્યો છે, કહેવાય રહ્યું છે કે સમગ્ર ઘટનામાં વેપારીના અંદાજીત 3 લાખથી વધુની રકમની લૂંટ થઈ છે.

Advertisement

Share

Related posts

શ્રીમાળી પોળ જૈન દેરાસરમાં ભક્તિભાવથી મહાવીર જયંતિ ઉજવાઈ 

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં બિસ્માર માર્ગોની સમસ્યાથી જનતા વ્યથિત…

ProudOfGujarat

રામગઢ અને રાજપીપળાને જોડતો કરજણ નદી પરનો પુલ વચ્ચેથી બેસી પડતા આજથી પુલ બંધ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!