Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના મહેગામ ખાતે હિંડોળાના મહાનૈવેધ – ૪ નું આયોજન કરાયું.

Share

શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગૃપ દ્વારા આયોજિત 51 હિંડોળાના મહાનૈવેધ સામુહિક નેવૈધ-4 નું આયોજન શ્રી હરિબાવા સમાધી મંદિર મઠ-મહેગામ જિલ્લા- ભરૂચ ખાતે કરવામાં આવ્યું હતું, ખુબ મોટી સંખ્યામાં ભકતો આ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા. 51 હિંડોળાના મહાનૈવેધમાં સુરત, ભરુચ, દાહોદ, નવસારી, તાપી તથા અન્ય રાજય મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાંથી પણ ભકતોજનોએ 51- હિંડોળાના મહાનૈવેધ માં પોતોનો નવૈધ કરાવેલ હતો શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગૃપ એ માત્ર વોટસએપ ગૃપ છે પણ સમાજ સેવાના કામો કરે છે જેમ કે રક્તદાન શિબિર, જરુરીયાત મંદ 1100 થી વધુ વિધાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ, શ્રી હરિબાવા ગોસાઈનો મહિમા ઘરે-ઘરે પહોંચે એ ઉદ્દેશ થી કેલેન્ડર વિતરણનો કાર્યક્રમ પણ કરવામાં આવે છે.

સમૂહ મહાનૈવેધ કરી સમાજની એકતા અને અંખડીતા જણવાય રહે એ ભાવથી સામુહિક મહાનૈવેધનું આયોજન શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગૃપ દ્વારા કરવામાં આવે છે એક સમાજને સાચી દિશા મા લઈ જવાનું ભગીરથ કાર્ય તો કરે છે તથા અન્ય સમાજને પણ આ વોટ્સએપ ગૃપ સમાજ સેવા કરવાની પ્રેરણા પુરી પાડે છે. શ્રી હરિબાવા સેવક સંઘ ગુજરાત ગૃપની સ્થાપના 24/07/21 ના રોજ સ્વ-રમેશભાઈ ઝવેરભાઈ પરમાર (ગાંગપુર) દ્વારા કરવામાં આવી હતી. માત્ર બે વર્ષના ટુંકા સમય ગાળામાં 15 લાખથી વધુ નું સમાજ સેવાનું કામ આ વોટસએપ ગૃપ દ્વારા કરવામાં આવ્યું છે અને હરિબાવા સેવક સંઘ ગુજરાત ગૃપ એક પણ રૂપિયાનું બેલેન્સ રાખતું નથી મુખ્ય મહેમાન, અતિથિ વિશેષ, વિના દરેક પ્રોગ્રામ આ ગૃપ કરે છે સમાજમાં દરેક એક સમાનના ભાવ સાથે આ વોટ્સએપ ગૃપ કાર્ય કરે છે.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

રાજપીપળાની મુસ્લિમ હિન્દુની આસ્થાનું પ્રતીક નિઝામ શાહ નાંદોદ (ર.અ) દરગાહનું ઉર્ષ સાદગીથી ઉજવવામાં આવ્યું.

ProudOfGujarat

ગોધરા શહેરમાં આજથી ત્રણ દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન, બજારો બંધ, ઈમરજન્સી સેવા ચાલુ.

ProudOfGujarat

ચૂંટણી આવી…..આગામી ગણતરીના દિવસોમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ શકે છે, સૂત્ર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!