Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળમાં મેઘા ડિમોલેશન : ચાંડાલ ચોકડીથી ગાયત્રી પીઠ મંદિર સુધી દબાણો દૂર

Share

વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ ખાતે માર્ગ માર્જિનમાં આવેલા દબાણો સામે તંત્ર દ્વારા મેઘા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચાંડાલ ચોકડીથી ગાયત્રી પીઠ મંદિર સુધી ચાલેલી આ ઝુંબેશ દરમિયાન માર્ગ માર્જિનમાં આવતા 53 જેટલા મકાનધારકોને અગાઉથી નોટિસ ફટકારવામાં આવી હતી.

તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 30થી વધુ ઓટલા અને શેડ તોડી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત માર્ગ માર્જિનની હદમાં આવતા ચાર મકાનોનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. બીજી તરફ અનેક લોકોએ તંત્રની સૂચના બાદ માર્જિનમાં આવેલા પોતાના બાંધકામો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા હતા.

Advertisement

કાર્યવાહી દરમિયાન ગાયત્રી પીઠ મંદિરનો કમ્પાઉન્ડ વોલ પણ રોડ માર્જિનમાં આવતો હોવાથી તેને પણ દૂર કરવામાં આવ્યો હતો. સમગ્ર ડિમોલેશન કામગીરી દરમિયાન માંગરોળ મામલતદાર કચેરી, માર્ગ અને મકાન વિભાગ સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરતા રહ્યા હતા.

કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બે PI, બે PSI સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને GRDના કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. ભારે પોલીસ કાફલા વચ્ચે સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી.


Share

Related posts

વડોદરા નજીક વિદેશી દારૂનાં જથ્થા સાથે વલસાડ પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ ઝડપાયા : બે દિવસના રિમાન્ડ મંજુર .

ProudOfGujarat

સુરત માં 41 દિવસની સારવારના અંતે યુવાન એન્જીનીયર થયો કોરોના મુક્ત

ProudOfGujarat

સુરત ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પર મંદીની અસરના કારણે ઉદ્યોગો મુશ્કેલીમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!