Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંક્લેશ્વરમાં મૌસમનાં પહેલા વરસાદથી આંનદનો માહોલ

Share

વાતાવરણમાં શીતળતા પ્રસરી

અંક્લેશ્વરમાં શનિવારે સવારે મેઘરાજાએ વિધિવત પ્રવેસ કરતાં વાતાવરણમાં અનેરી શીતળતા વ્યાપી ગય હતી અને લોકો આંનદમાં ઝુમી ઉઠ્યા હતા.

Advertisement

આમ તો અંક્લેશ્વરમાં એક સપ્તાહ પહેલા જ અરબી સમુદ્રમાં ઉત્પન થયેલ ડિપ્રેશનના અસરના ભાગ રૂપે વાવાઝોડા સાથે વરસાદ ત્રાટક્યો હતો.જો કે માંડ અડધો કલાકની એ રમઝટ બાદ આખુ અઠવાડીયું કોરુકટ અને ગરમીના ધખારા વચ્ચે વીત્યું હતુ ત્યારે શનિવારની સવારે અંક્લેશ્વરમાં ક્ષાણિકવાર સમીછાંટણા થયાં હતાં બાદમાં લગભગ સાડા દસ વાગ્યાનાં સુમારે મેઘરાજાએ વિધિવત પ્રવેસ કરતાં હોય એમ પ્રથમ જોરદાર ઝાપટું વરસાવ્યું હતું જેનાં લીધે વાતાવરણમાં શીતળતા ફેલાઈ ગઈ હતી લોકોએ છાપરા કે ઝાડની ઓસ લેવી પડી હતી.

શનિવારનાં સમગ્ર દિવસ દરમિયાન વાદળ છાયાં વચ્ચે વરસાદનાં પગલે શીતળતાં ફેલાઈ ગઈ હતી કેટલાક લોકોએ પ્રથમ વરસાદ માં ભીંજાવાનો લ્હાવો લીધો હતો ખાસા કરીને ખેડૂત લહેરખી ફેલાયેલી જોવા મળી હતી આમ પણ હવામાન ખાતાંની આગાહી મુજબ આ વર્ષ મોસમના ૯૭% જેટલો વરસાદ વરસવાની સંભાવના છે ત્યારે ખેતીની નીપજ પણ સારી થશે એ કારણે પણ ખેડૂત વર્ગ સારા વળતરની આશા રાખી રહ્યાં છે.


Share

Related posts

અમદાવાદ-સેટેલાઇટ પોલીસે નકલી પોલીસને ઝડપ્યો-પોલીસ વર્ધિમાં લોકો પર જમાવતો હતો રોફ…

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાનાં ભાદી ગામનાં 9 વર્ષનાં સુહેબ જાવીદ અદાતે એ રમઝાન માસનાં રોજા રાખી અલ્લાહની ઈબાદત કરી હતી.

ProudOfGujarat

ગોધરા : ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને વાહનવ્યવહારને લગતા પ્રતિબંધો-નિયંત્રણો જાહેર કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!