Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં આરોગ્ય વિભાગે ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં કર્યું ચેકિંગ, લેવાયા નમૂના

Share

 
વડોદરા: માં શક્તિના પર્વ નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે, ત્યારે વડોદરાવાસીઓને શુદ્ધ ફરસાણ અને મીઠાઇ મળે તે માટે વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગ દ્વારા મિઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે.
વડોદરામાં આરોગ્ય વિભાગે ફરસાણ અને મીઠાઇની દુકાનોમાં કર્યું ચેકિંગ

વડોદરા મહાનગર સેવાસદનના આરોગ્ય વિભાગની 5 ટીમો દ્વારા આજે વડોદરા શહેરના સયાજીગંજ, અલકાપુરી, કારેલીબાગ અને વી.આઇ.પી. રોડ ઉપર આવેલી ફરસાણ અને મિઠાઇની દુકાનોમાં દરોડા પાડયા હતા. આરોગ્ય વિભાગની ટીમે દરોડાની કાર્યવાહી શરૂ કરતા જ મીઠાઇ અને ફરસાણની દુકાનોના સંચાલકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો.

Advertisement

આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર્સે જણાવ્યું કે, વડોદરા શહેરમાં ઋતુજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે, ત્યારે વડોદરા શહેરમાં શરૂ થયેલા નવરાત્રી મહોત્સવમાં ખાણી-પીણીના શોખીન શહેરીજનોને શુદ્ધ ફરસાણ અને મીઠાઇ મળે તે માટે આજથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આજે આરોગ્ય વિભાગની 5 ટીમો દ્વારા સયાજીગંજ, અલકાપુરી, વી.આઇ.પી. રોડ અને કારેલીબાગમાં આવેલી મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અને ચેકિંગ કરવામાં આવેલી તમામ દુકાનોમાંથી ફરસાણ અને મીઠાઇના નમૂના લેવામાં આવ્યા છે.

ફૂડ ઇન્સ્પેક્ટર્સે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં નવરાત્રી મહોત્સવમાં ગરબા મેદાનોમાં મુકવામાં આવેલા ખાણી-પીણીના સ્ટોલ ઉપર પણ ચેકિંગ કરવામાં આવશે. અને સ્ટોલ ઉપરથી ખાણી-પીણીના નમૂના લઇ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવશે…સૌજન્ય


Share

Related posts

ભરૂચના નવ નિર્મિત આઇકોનિક બસ પોર્ટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું, મોટી સંખ્યામાં શહેરીજનો રહ્યા ઉપસ્થિત

ProudOfGujarat

ભરૂચ પંથકમાં ચોમાસાની પધારમણી : ત્રાહિમામ પોકારેલા લોકોમાં ઠંડક થતાં હાશકારો.

ProudOfGujarat

તંત્ર એલર્ટ-અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાતા દહેજ બંદરે ૧ નંબરનું સિગ્નલ એલર્ટ અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!