Proud of Gujarat
GujaratFeaturedINDIA

હનુમાનભાગડામાં દીવાલ તૂટી પડતા બાળક સહિત પરિવારના 5 દબાયા

Share

 

સૌજન્ય/વલસાડ નજીક આવેલા હનુમાનભાગડામાં કાચા મકાનની ઇંટની દીવાલરાત્રિ દરમિયાન અચાનક તૂટી પડતાં નિંદ્રા માણી રહેલા ગરીબ પરિવારના 5 સભ્યો ઇજાગ્રસ્ત થયા હતા.1 મહિલાના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ અને લોટસમાં 108 એમ્બ્યુલન્સ મારફત દાખલ કરાયા હતા.

Advertisement

હનુમાનભાગડાના દેસાઇ ફળિયા પાછળ રહેતી મહિલા નીરૂબેન નટુભાઇ રાઠોડ તેમના પૂત્ર હિતેશ નટુભાઇ રાઠોડ, રેખા રાજેશ રાઠોડ અને રેખાના બે સંતાનો સાથે પતરાંવાળા કાચા મકાનમાં રહે છે. મકાનની ફરતે ઇંટની પ્લાસ્ટર વિનાની દીવાલચણવામાં આવી હતી. જેમાં છુટક કામ કરતો શ્રમિક પરિવાર ગુજરાન ચલાવી રહેતું હતું.

ગતરાત્રિ દરમિયાન 11 વાગ્યાના સુમારે આ પરિવાર ઉંઘમાં હતું તે દરમિયાન અચાનક પ્લાસ્ટર વિનાની ઇંટની દીવાલતૂટી પડતાં ઘરના પાંચે સભ્યોને માથા અને શરીરના ભાગે ઇજા પહોંચી હતી.આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી ગયા હતા.તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી કાટમાલ ખસેડી ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા.જેમાં મહેશને જાંઘના ભાગે ફ્રેકચર,મહિલા રેખાને માથાના ભાગે ઇજા થઇ હતા.4 અને 7 વર્ષના 2 બાળકોને હાથ અને પગના ભાગે ઇજા પહોંચી હતી.આ તમામને સિવિલ અને લોટસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.


Share

Related posts

ભરૂચમાં માવતરને શરમાવતી ઘટના : નવજાત અર્ધવિકસીત બાળકને ત્યજી દીધું : રોટરી ક્લબ પાછળ શ્વાન મોઢામાં લઈને જતું હતું, લોકોએ બચાવતાં સમગ્ર મામલો બહાર આવ્યો

ProudOfGujarat

બળાત્કાર અને અડપલાં પ્રકરણમાં સંડોવાયેલા ટ્યુશન ક્લાસીસના સંચાલકને સજા ફટકારતી નામદાર અદાલત…અગાવ પણ શિક્ષક બળાત્કારના ગુના અંગે સજા ભોગવી ચુક્યો છે.જાણો કોણ છે શિક્ષક અને હવસખોર શિક્ષકને નામદાર અદાલતે કેવી સજા ફટકારી …

ProudOfGujarat

સુરત સિવિલ હોસ્પિટલમાં બાળકોના મૃત્યુને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!