Proud of Gujarat
FeaturedGujarat

૨૨- ભરૂચ લોકસભાની ચૂંટણી અંગે સત્તાવાર ગતિવિધિ શરૂ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ સંસદીય મત વિસ્તારમાં આચારસંહિતા લાગુ પડ્યા બાદ નિર્ધારિત ચૂંટણીના કાર્યક્રમ મુજબ તારીખ ૨૮-૦૩-૧૯ ના ભરૂચ સંસદીય મત વિસ્તારની ચૂંટણી અંગેનું જાહેર નામું બહાર પાડ્યું હતું..પ્રથમ દિવસે જ ૨૦ કરતા વધુ ઉમેદવારી પત્રકોનો ઉપાડ થયો હતો.ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૪-૪-૧૯ છે.જયારે ચકાસણીની તારીખ ૫-૪-૧૯ અને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૮-૪-૧૯ છે.જયારે મતદાનની તારીખ ૨૩-૦૪-૧૯ છે.મત ગણતરીની તારીખ ૨૩-૦૫-૧૯ છે અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની તારીખ ૨૭-૦૫-૧૯ છે.આમ ૨૨-ભરૂચ સંસદીય લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ નિર્ધારિત કરવામાં આવ્યો છે.૨૨-સંસદીય ભરૂચ બેઠકના ખર્ચ ઓબઝર્વર પેરી વલલાલ તિર્સ જોઈન્ટ કમિશનર ઓફ GST બેંગ્લુરુની નિમણુક કરતા તેમણે ચાર્જ સંભાળી લીધો છે. જેમનો મોબાઈલ નં-૭૪૩૩૦૭૧૭૩૧ છે.આ ઉપરાંત સમગ્ર ભરૂચ સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી અધિકારી અને ચૂંટણી અધિકારીના મત મદદનીશ ઓફિસરોની નિમણુક કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે “ સખીમેળો” તેમજ “ વંદે ગુજરાત” પ્રદર્શન યોજાશે.

ProudOfGujarat

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આજરોજ તાલુકા સ્વાગત પ્રોગ્રામ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો…

ProudOfGujarat

અંકલેશ્વરનાં ચિત્રકારે કોરોના વાયરસથી બચવા માટેના ઉપાયો ચિત્રકલા દ્વારા પ્રજાજનો સમક્ષ મુકયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!