Proud of Gujarat
FeaturedGujarat

આજરોજ ભરૂચ તાલુકા તલાટી મંડળ દ્વારા વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ તારીખ ૯-૫-૨૦૧૯ના રોજ ભરૂચ તાલુકા તલાટી મંડળ તરફથી ઇન્ચાર્જ ટી.ડી.ઓ ભૂપેન્દ્રસિંહ ઝરીયા તથા તલાટી સૈયદભાઈ વય નિવૃત્તિ થી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.તેમજ ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ભરતભાઈ મિશ્રા ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે વરણી થતાં તેમજ મેલસિંગભાઈ વસાવા ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળના મહામંત્રી તરીકે વરણી થતાં તે અંગેનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ સન્માન સમારોહમાં નવીનભાઈ પટેલ પ્રમુખ ભરૂચ તાલુકા પંચાયત, બી.એચ.મકવાણા ટી.ડી.ઓ, બેચરભાઈ રાઠોડ માજી પ્રમુખ ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળ,વિક્રમસિંહ રાજ ચેરપર્સન ભરુચ જિલ્લા તલાટી મંડળ તથા માજી ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય તલાટી મંડળ,કાયસ્થ ભાઈ માજી મહામંત્રી તથા ટેકનિકલ કર્મચારી મહામંડળ,જગદીશભાઈ પટેલ માજી પ્રમુખ ભરૂચ તાલુકા તલાટી મંડળ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

સુરત : જાહેરમાં માછલીનું વેચાણ કરતાં ધંધાર્થીઓનો મનપા દ્વારા સફાયો.

ProudOfGujarat

રાષ્ટ્રીય સ્તરે જળ બચાવો જાગૃતિ અભિયાન ચલાવતી ટીમે ઉમરપાડાના ગુલીઉમર ગામની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાની બીજી લહેર બાદ ઓસારા મહાકાળી માતાનું મંદિર દર્શનાર્થે ખુલ્લું મુકાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!