Proud of Gujarat
FeaturedGujarat

આજરોજ ભરૂચ તાલુકા તલાટી મંડળ દ્વારા વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share

દિનેશભાઇ અડવાણી

આજરોજ તારીખ ૯-૫-૨૦૧૯ના રોજ ભરૂચ તાલુકા તલાટી મંડળ તરફથી ઇન્ચાર્જ ટી.ડી.ઓ ભૂપેન્દ્રસિંહ ઝરીયા તથા તલાટી સૈયદભાઈ વય નિવૃત્તિ થી નિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો.તેમજ ભરૂચ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ ભરતભાઈ મિશ્રા ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે વરણી થતાં તેમજ મેલસિંગભાઈ વસાવા ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળના મહામંત્રી તરીકે વરણી થતાં તે અંગેનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ સન્માન સમારોહમાં નવીનભાઈ પટેલ પ્રમુખ ભરૂચ તાલુકા પંચાયત, બી.એચ.મકવાણા ટી.ડી.ઓ, બેચરભાઈ રાઠોડ માજી પ્રમુખ ભરૂચ જિલ્લા પંચાયત કર્મચારી મહામંડળ,વિક્રમસિંહ રાજ ચેરપર્સન ભરુચ જિલ્લા તલાટી મંડળ તથા માજી ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય તલાટી મંડળ,કાયસ્થ ભાઈ માજી મહામંત્રી તથા ટેકનિકલ કર્મચારી મહામંડળ,જગદીશભાઈ પટેલ માજી પ્રમુખ ભરૂચ તાલુકા તલાટી મંડળ વગેરે મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં અનોખી રીતે હોળી દહનની ઉજવણીની તૈયારીઓ….

ProudOfGujarat

અંકલેશ્વરની કન્યાશાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ૧૦૮ એમ્બ્યુલન્સના ડ્રાઈવરને માર મારતો વીડિયો વાયરલ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!