Proud of Gujarat
FeaturedGujarat

ગોધરા શહેરમાથી પસાર થતી મેશરી નદીનો પટવિસ્તાર અસામાજીક તત્વોનો બન્યો અડ્ડો…

Share

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાનુ વડુમથક ગોધરા દિનપ્રતિદિન વિકાસની હરણફાળ ભરી રહ્યુ છે.શહેરના સિવીલ લાઇન્સ પાસેથી મેશરી નદી પસાર થાય છે.આ મેશરી નદીની માત્ર ચોમાસામાં પાણી આવતા જ જીવંત થાય છે.ત્યારબાદ મૃત અવસ્થામાં સરી પડે છે.સુકી ભઠ્ઠ બનેલી આ મેશરી નદીના પટમાં ઊગી નીકળેલા ઝાંડી ઝાંખરાઓ અસામાજીક પ્રવૃતિઓનું આશ્રય સ્થાન બની રહ્યા છે. ત્યારે જીલ્લા પોલીસતંત્ર આ મામલે કાર્યવાહી કરે તેવી ગોધરાનગરવાસીઓની માંગ ઉઠવા પામી છે.

Advertisement

પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા શહેરમાથી પસાર થતી મેશરી નદીમા ચોમાંસામા ઉપરવાસમાં વરસાદ આવતા તેમા પાણી આવે છે.ત્યારબાદ તે શિયાળા અને ઉનાળામાં સુકીભટ્ટ બની જાય છે. ત્યારે આ નદીના પટમાં ઊંગી નીકળેલા ઝાંડી ઝાંખરાઓઅ અસામાજીક પ્રવૃતિઓનો અડ્ડો બની ગયા છે.અહી દારુ જુગાર પીવાની સહીતની અસામાજીક પ્રવૃતિઓ ચાલીરહી છે.ત્યારે અહી પોલીસ દ્વારા પણ પહેલા પણ જુગારના ચાલતા અડ્ડાઓ ઉપર રેડ પાડીને જુગારીઓને પકડવામા આવ્યાછે.ત્યારે હાલમા પણ આ મેશરી નદીના પટમાં અસામાજીક પ્રવૃતિઓ ધમધમી રહી છે. ત્યારે ગોધરા શહેરની જાગૃત જનતાની લોકમાગ છે કે અહી મેશરીનદીના પટમાં પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામા આવે તે જરૂરી છે.


Share

Related posts

૧૨ માર્ચની પરિક્ષામા કડક નિયમો જાહેર કર્યા

ProudOfGujarat

અંકલેશ્વર : આમલાખાડીમાં પ્રદુષિત પાણી વહેતું થવાથી લોકોમાં રોષની લાગણી.

ProudOfGujarat

ભરૂચના ડૉ.સુનીલ ભટ્ટ દ્વારા લિખિત, નરેન્દ્ર મોદી પર આધારિત “પરિવર્તનશીલ નેતૃત્વ અને સુશાસન” પુસ્તક નું વિમોચન ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!