Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી : પ્રાંકડ ગામે તળાવમાં મગર દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા તળાવ નજીક આંગણવાડી અને મંદિર હોવાથી બાળકો અને જનતામાં ડર ગામમાં એક કપિરાજે પણ આંતક મચાવ્યો છે.

Share

ભરૂચ જિલ્લાના રાજપારડી નજીકના પ્રાંકડ ગામે તળાવમાં મગર દેખાતો હોવાથી ગ્રામજનો માં ભયની લાગણી જોવા મળી રહી છે.પ્રાંકડના નરેન્દ્રસિંહ રાજ ના જણાવ્યા મુજબ આંગણવાડી અને મંદિર તળાવની નજીકમાં હોવાથી બાળકો અને ગ્રામજનો માં ડર જોવા મળી રહ્યો છે.ઉપરાંત ગ‍ામમાં એક કપિરાજે પણ આંતક મચાવ્યો છે.આ વાનર જતા આવતા વાહનો પર કુદે છે.અને બચકા ભરવાના પ્રયત્ન પણ કરતો હોયછે.વનવિભાગ ને આ બંને બાબતોની જાણ કરવામાં આવતા વનવિભાગ દ્વારા મગર તેમજ કપિરાજ ને પકડવા પીંજરા ગોઠવવામાં આવ્યા છે.પણ હજી સુધી બેમાંથી એક પણ પીંજર‍ામાં કોઇ પકડાયું નથી.વધુમાં જણાવાયા મુજબ આંગણવાડી અને મંદિર તળાવ ની નજીકમાં હોવાથી બાળકો અને ગ્રામજનો મગરના ભયથી નજીક જતાં ડરે છે.ઉલ્લેખનીય છેકે ચાલુ સાલે ચોમાસા દરમિયાન નર્મદા માં વ્યાપક પુરની સ્થિતિ સર્જાતા કિનારાના ગામો પણ પુરની અસર હેઠળ આવી ગયા હતા.ત્યારે પ્રાંકડ ના તળાવમાં દેખાતા મગર પણ નર્મદા ના ફેલાયેલા પાણી સાથે તળાવમાં આવી ગયા હોય એવી સંભાવના દેખાઇ રહીછે.ગમેતેમ હોય પરંતું તળાવમાં મગરની વસ્તી અનુભવતા ગ્રામજનો આ મગર તેમજ વાનર ના ડરથી ભયભીત બનેલા જણાય છે.તળાવમાં કદાચ એક કે તેથી વધુ મગર પણ હોઇ શકે.એવી ચર્ચા પણ દેખાઇ રહી છે.તોફાની કપિરાજ વાહનો પર કુદતો હોવાથી કોઇ વાર આ હુમલો જીવલેણ બની શકે એવી દહેશ ત પણ જણાઇ રહી છે.તેથી ગ્રામજનો ને મગર અને વાનર ના ત્રાસ થી બચાવવા અસરકારક પગલા ભરાય તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.

ગુલામહુશેન ખત્રી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં ઓવરલોડેડ શેરડી ભરેલ ટ્રકો પસાર થતાં લોકોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

ગોધરાના સ્વામી શાંતિ પ્રકાશ સત્સંગ ભવન ખાતે સિંધી સમાજ દ્વારા પરમ પૂજ્ય બ્રહ્માનંદ શાસ્ત્રીનો ૭૫મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામા આવશે : ઉત્તર સિંધ પંચાયત ના તેજસ્વી તારલા ઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવશે

ProudOfGujarat

કસક સર્કલ થી મકતમપુર રોડના પ્રીતમ સોસાયટી નજીક આવેલી ગટરમાં ગાય ખાબકતા ફાયરની ટીમનું રેસ્ક્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!