Proud of Gujarat
FeaturedGujaratINDIA

નસવાડી તાલુકામાં 100 ઉપરાંત ગામોમાં જંગલી ભૂંડોના ત્રાસથી ખેતીને ભારે ભેલાણ થઈ રહ્યું છે.

Share

નસવાડી તાલુકાનાં 211 ગામોમાં ખેતીનો પાક લેવાય છે. જેમાં મકાઇ, કપાસ, ડાંગર, કેળ, સહિત શાકભાજીનો પાક લેવામાં આવે છે. ચાલુ સાલે ખેતીલાયક વરસાદ વરસતા ચોમાસુ પાક સારો એવો થાય તેવા હેતુથી ખેડૂતો દ્વારા મોંધુ બિયારણ તેમજ ખાતર જંતુનાશક દવાઓનો મસ મોટો ખર્ચ કર્યો હતો. ખેતી પણ સારી થઈ હતી. પરંતુ તાલુકામાં 100 ઉપરાંત ગામોમાં આવેલ ખેતરોમાં જંગલી ભૂંડોના ટોળેટોળા ઉમટી પડી ખેતીના પાકને ભારે ભેલાણ કરતાં ખેતી નિષ્ફળ જઇ રહી છે. ભૂંડોના ત્રાસથી ખેતીને ભારે નુકસાન થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ભૂંડોનો ત્રાસ એટલો વધ્યો છે કે ખાસ કરીને મકાઈના પાકને ભારે નુકસાન કરતાં ખેડૂતો દ્વારા મકાઈના પાક લેવાનું માંડી વાળ્યું છે.

મયુર શાહ:- નસવાડી

Advertisement

Share

Related posts

આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ભરૂચના પંડિત ઓમકારનાથ હોલ ખાતે જિલ્લાકક્ષાનું મહિલા સંમેલન યોજાયું

ProudOfGujarat

ભરૂચમાં જાહેરનામાના ભંગ બદલ 59 આસામીઓ સમક્ષ દંડ તથા કાયદેસર કાર્યવાહી કરતી sog પોલીસ

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનું ૧૬૮.૪૭ કરોડનું બજેટ મંજૂર, ૧૨.૬૪ કરોડ પુરાંતવાળુ બજેટ રજુ કરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!