Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : તક્ષશિલા અગ્નિકાંડમાં મોત થયેલાં 22 માસૂમના પરિવારજનો ન્યાય માટે ઝંખી રહ્યાં છે.

Share

સુરત તક્ષશિલા અગ્નિકાંડને છ મહિનાઓ કરતાં વધુ સમય થઈ ગયો છે. અગ્નિકાંડમાં 22 જેટલા માસૂમોના મોત થયાં હતાં. આ મૃતકોના પરિવારજનો ન્યાય માટે ઝંખી રહ્યાં છે. જો કે આ કેસમાં દોષિત ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ જ કાર્યવાહી ન થતી હોવાના રોષ અને આક્ષેપ સાથે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતાં. કમિશનર કચેરીએ પહોંચીને મૃતકોના વાલીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.પોલીસ કમિશનર કચેરીએ પહોંચેલા મૃતકોના વાલીઓએ જણાવ્યું હતું કે, અડધા વર્ષ કરતાં વધુ સમય દુર્ઘટનાને વિતી ગયો હોવા છતાં પણ હજુ સુધી કોઈ જ યોગ્ય પગલાં લેવાયા નથી. ઉચ્ચ અધિકારીઓ સામે હજુ સુધી કોઈ જ એક્શન નથી લેવાયા. અગાઉ ઘણી વાર આવેદનપત્ર પોલીસને આપવામાં આવ્યાં છે પરંતુ હજુ સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી. આ છેલ્લું આવેદનપત્ર આપી રહ્યા છીએ હવે પછી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વાલીઓએ ઉચ્ચારી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં સબ જેલ ખાતેનું રમત-ગમતનું મેદાન જનતાને ફાળવવા વડોદરા ની ટેનિસ પ્લેયર ની કલેકટર સમક્ષ માંગણી

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક આવેલ ભાદી ગામ ખાતે બેખોફ અને બિન્દાશ અંદાજ માં ધમધમતા જુગાર ધામ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી લાખ્ખો ના મુદ્દામાલ સાથે ૧૫જેટલા જુગારીઓને ઝડપી પાડતા ભારે ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો….

ProudOfGujarat

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે માલિકના ટેમ્પાના કોમ્પ્રેશરમી ચોરી કરનાર ડ્રાયવરની કરી ધરપકડ, 3 વર્ષથી હતો ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!