Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડાના ચિતલદા ગામે ઝેરી જનાવર કરડતાં 7 વર્ષની બાળકીનું કરુણ મોત : સારવાર મળે તે પહેલાં જ તોડી દીધો દમ; પરિવારમાં શોકની લાગણી વ્યાપી

Share

 

વાંકલ :

Advertisement

 

 

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ચિતલદા ગામમાં ઝેરી જનાવર કરડતાં 7 વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત નીપજતાં સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેણીનું મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, ચિતલદા ગામના મંદિર ફળિયામાં રહેતા નંદલાલ રમેશભાઈ વસાવાની 7 વર્ષની પુત્રી નાયરા વસાવા, જે ધોરણ-2માં અભ્યાસ કરતી હતી, ગત શનિવારે રાત્રે પોતાના મોસાળમાં દાદા કાદીરભાઈ ખાલપાભાઈ વસાવાના ઘરે સૂવા ગઈ હતી. પરિવારજનો રાત્રિભોજન બાદ સૂઈ ગયા હતા. દરમિયાન મોડી રાત્રે નાયરાને કોઈ ઝેરી જનાવરે ડંખ માર્યો હતો.

બાળકીની તબિયત અચાનક બગડતાં પરિવારજનો જાગી ગયા હતા અને વિલંબ કર્યા વગર તેને સારવાર માટે ઝંખવાવ સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે હોસ્પિટલ પહોંચતા ફરજ પરના તબીબે તપાસ બાદ નાયરાને મૃત જાહેર કરી હતી.

માસૂમ બાળકીના અચાનક નિધનથી માતા-પિતા સહિત સમગ્ર પરિવાર પર આભ ફાટી પડ્યું છે. ગામમાં પણ શોકનું વાતાવરણ છવાઈ ગયું છે અને સ્થાનિકોમાં દુઃખની લાગણી વ્યાપી છે.

ઘટનાની જાણ થતાં ઉમરપાડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

માંગરોળનાં આંબાવાડી ગામે તાલુકા કક્ષાનો ગ્રામકલા અને સાંસ્કૃતિક મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

ગાંધીનગર : મહેસાણા LCB એ દારૂનો જથ્થો લઈ જતા પિકઅપ ચાલકની કરી ધરપકડ, 5.67 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પંચાયતના સભાખંડમાં વિશ્વ યોગ દિનને અનુલક્ષીને જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોષના અધ્યકક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!