Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરાનાં રબ્બાની મહોલ્લાને પાલિકાતંત્ર દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યો.

Share

ગોધરામાં અબ્દુલ હકીમ પટેલનું કોરોનાના કારણે વડોદરામાં એક ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા બાદ આ રબ્બાની મહોલ્લાના આશરે ૭૫ જેટલા મકાનોમાં રહેતા ઘરના સભ્યોને આરોગ્ય વિભાગ દ્વારા હોમ કવોરૉન્ટાઈન કરવામાં આવ્યા હતાં ત્યારે આ વિસ્તારમાં પ્રાંત અધિકારી એ સ્થાનિક રહીશોને હોમ કવોરૉન્ટાઈનમાં રહેવા માટે સૂચન આપવામાં આવ્યા હતાં. ત્યારે ગતરોજ પંચમહાલ જિલ્લાના કલેક્ટર પોલીસ અધિક્ષક સહિત સંકલન અધિકારીઓએ રબ્બાની મહોલ્લાની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું ત્યારે ગોધરા નગર પાલિકા વિભાગનાં ચીફ ઓફિસર ગોધરા ખાતે આવેલ રબ્બાની મહોલ્લામાં જે ૭૫ જેટલા ઘરોને હોમ કવોરૉન્ટાઈનમાં મૂકવામાં આવ્યા છે તે વિસ્તારની આજુબાજુ સાફસફાઈ અને ફોગીંગ કરવા માટે સુચના આપી હતી જેથી મેલેરિયા વિભાગના કર્મચારી દ્વારા આજરોજ રબ્બાની મહોલ્લા ખાતે જંતુનાશક દવાઓથી મિશ્રણ કરીને ફોગીંગ કરી સેનેટાઈઝર કરવામાં આવ્યા હતાં.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભગવાને બાળકોને તો સારી બુદ્ધ આપી, હવે ભગવાન તંત્રને સદબુદ્ધી આપે

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે ઉપર થી ૫૯૧ કિલો ગાંજા ના જથ્થા સાથે ટ્રક સહીત ૪ પુરુષો અને એક મહિલા ની NCB વિભાગ દ્વારા અટકાયત કરાઈ હતી…..

ProudOfGujarat

ભરૂચ કોર્ટે ચેક રિટર્નના બે અલગ અલગ કેસમાં આરોપીઓને સજા ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!