Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં લારીમાં શાકભાજી વેચનાર યુવાન લોકો માટે ઉદાહરણરૂપ લારી પર આવતા ગ્રાહકોને સેનેટાઇઝથી હાથ સાફ કરાવે છે.

Share

હાલ કોરોના મહામારી એ વિશ્વને હચમચાવી નાખ્યું છે ત્યારે નર્મદા જિલ્લામાં પણ ૧૧ પોઝીટીવ કેસ સારવાર હેઠળ હોય તંત્ર દરેક પ્રકારની તકેદારી અને જાગૃતિ બાબતે પ્રયાસ કરે છે છતાં અમુક લોકો તેનો અમલ કરતા નથી તેવામાં રાજપીપળા શહેરમાં લારી લઈ શાકભાજી વેચનાર યુવાન લોકો માટે પ્રેરણારૂપ જોવા મળ્યો હતો.રાજપીપળા વિસાવાગા વિસ્તારમાં રહેતા મયુરભાઈ પંચોલી નામનો યુવાન શહેરમાં લારી લઈ શાકભાજી વેચે છે. હાલ કોરોના મહામારી વચ્ચે વાયરસનો ભય હોય આ યુવાન ગ્રાહકોને પહેલા સેનેટાઇઝરથી હાથ સાફ કરાવી ત્યાર બાદ જ વસ્તુ અને પૈસાની લેવડ દેવડ કરે છે ત્યારે આ યુવાન લોકો માટે ઉદાહરણરૂપ કહી શકાય,આમ તો સરકાર અને સ્થાનિક તંત્ર કોરોના બાબતે સાવચેતી રાખવા વારંવાર સૂચનો કરે છે છતાં કેટલાક ભણેલા લોકો કે વેપારીઓ પણ તેનું પાલન ન કરી આવી મહામારીની પરવાહ નથી કરતા ત્યારે શાકભાજી લઈ ફળિયે ફળિયે ફરતા યુવાને આ માટે પોતાની અને પોતાના ગ્રાહકોની ચિંતા કરી તેની લારીમાંથી શાકભાજી ખરીદતા ગ્રાહકોને સૌથી પહેલા હાથમાં સેનેટાઇઝર આપી હાથ સાફ કરાવતો હોય લોકોએ આ યુવાનને જોઇ શીખ લેવી જોઈએ. જો દરેક વ્યક્તિ જાગૃત થશે તો કોરોના જેવી મહામારીને પણ આપણે માત આપવામાં જરૂર સફળતા મેળવીશું.

Advertisement

Share

Related posts

ભરૂચમાં બેકાબુ બનેલાં ડમ્પરે કાર, રીક્ષા, મોપેડને અડફેટમાં લીધી : મોપેડ ચાલકનું મોત

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં 9 દર્દીઓ સાજા થતાં, તમામને આરોગ્ય વિભાગે ઘર સુધી પહોંચાડયાં હતાં.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની અધોગતિ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ 164 માં ક્રમે આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!