Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા તાલુકાનાં અરગામા ગામ ખાતે અગમ્ય કારણોસર એક પરિણીત મહિલાએ કરેલ આત્મહત્યા જાણો વધુ.

Share

ભરૂચ જીલ્લામાં આત્મહત્યાનાં બનાવો વધુ બની રહ્યા છે ત્યારે અરગામા ગામની એક મુસ્લિમ પરણીતાએ રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વાગરા પોલીસનાં જણાવ્યા અનુસાર આ બનાવ અંગે નઇમ અનવર વ્હોરા પટેલ રહે.અરગામા પોલીસને જાણ કરી હતી. જેમાં અફસાના બાનુ ઉ.વર્ષ 22 નઇમના પત્નીએ તા.17-7-2020 નાં 8 વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધી અગમ્ય કારણોસર પોતાના ઘરે ઓઢણી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અફસાના બાનુએ કયાં સંજોગોમાં આત્મહત્યા કરી તે એક તપાસનો વિષય છે. આ અંગેની તપાસ ભરૂચનાં ડી.વાય.એસ.પી. કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ટંકારીયા સ્થિત એમ એ એમ હાઇસ્કૂલમાં બાળ સંસદ ચુંટણી યોજાઇ

ProudOfGujarat

GVK EMRI ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા મધર્સ ડે નિમિત્તે તેમના સ્ટાફની માતાને અભિનંદન પાઠવવામાં આવ્યા.

ProudOfGujarat

વડોદરા : નવાપુરા વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં ખોદકામ કરતા મળી દેશી દારૂની પોટલીઓ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!