Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા તાલુકાનાં અરગામા ગામ ખાતે અગમ્ય કારણોસર એક પરિણીત મહિલાએ કરેલ આત્મહત્યા જાણો વધુ.

Share

ભરૂચ જીલ્લામાં આત્મહત્યાનાં બનાવો વધુ બની રહ્યા છે ત્યારે અરગામા ગામની એક મુસ્લિમ પરણીતાએ રહસ્યમય સંજોગોમાં ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વાગરા પોલીસનાં જણાવ્યા અનુસાર આ બનાવ અંગે નઇમ અનવર વ્હોરા પટેલ રહે.અરગામા પોલીસને જાણ કરી હતી. જેમાં અફસાના બાનુ ઉ.વર્ષ 22 નઇમના પત્નીએ તા.17-7-2020 નાં 8 વાગ્યાથી રાત્રિનાં 10 વાગ્યા સુધી અગમ્ય કારણોસર પોતાના ઘરે ઓઢણી વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અફસાના બાનુએ કયાં સંજોગોમાં આત્મહત્યા કરી તે એક તપાસનો વિષય છે. આ અંગેની તપાસ ભરૂચનાં ડી.વાય.એસ.પી. કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

કપડવંજ તથા આસપાસના વિસ્તારમાં 14 કેસોમાં 5 લાખની વીજચોરી પકડાઈ

ProudOfGujarat

ભરૂચ : રાહુલ ગાંધીનાં જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને માસ્ક અને ફ્રૂટનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!