Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વકીલ સાથે પાલનપુર પોલીસે કરેલ અત્યાચાર અંગે ધી ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એશોસીએશનને ઠરાવ કરી સમગ્ર બનાવનો વિરોધ કર્યો હતો.

Share

ભરૂચનાં વકીલ સાહિલખાન એ. સિપાહીએ જણાવ્યા મુજબ તેમની પર પોલીસ દ્વારા અભદ્ર વ્યવહાર તેમજ અત્યાચાર કરવામાં આવ્યો છે. તે બાબતની અરજી સંગઠનનાં હોદ્દેદારને અપાય હતી. વકીલ સાહિલ ખાન તા.21-8-2020 નાં રોજ બનાસકાંઠા જીલ્લાનાં પાલનપુર ખાતે પોતાની ગાડી લઈને ગયા હતા. ત્યારે પાલનપુર પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઇ. એલ.જે.વાળા તથા હેડ કોન્સટેબલ ઉમાભાઈ ગજાભાઈએ વકીલ ઉપર ગેરકાયદેસર કસ્ટડીમાં રાખી અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. તે અંગે તેમણે જિલ્લા પોલીસ અધિક્ષક બનાસકાંઠાને લેખિતમાં જવાબદાર પોલીસ ઈસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી અને લેખિતમાં ફરિયાદ કરેલ છે. વધુમાં પોલીસતંત્ર દ્વારા આવા બનાવનું પુનરાવર્તન ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ઠરાવમાં ગુજરાત રાજયમાં વકીલો માટે પ્રોટેકશન માટે એડવોકેટ પ્રોટેકશન એકટ લાવવો જોઈએ તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો. ધી ભરૂચ ડિસ્ટ્રીકટ બાર એશોસીએશન ભરૂચની બેઠકમાં ઇન્ચાર્જ પ્રમુખ ડી.જી.ચાવડા, સેક્રેટરી દિનેશ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વિસાવદર માં મહાશિવરાત્રી નિમિતે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ ની ભવ્ય નગરયાત્રા નીકળી હતી.

ProudOfGujarat

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવનાર તા.-૩૦ મી ના રવિવારે  મહાવિધવા સંમેલન યોજાશે….

ProudOfGujarat

અંક્લેશ્વર શહેર પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન એક મહિલાને વિદેશી દારુ સાથે ઝડપી પાડી ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!