Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : BSNL નાં કર્મચારીઓ દ્વારા ધરણાં કાર્યક્ર્મ યોજાયો.

Share

ભરૂચ BSNL નાં કર્મચારીઓ દ્વારા આજરોજ તા.1-10-2020 નાં દિવસે ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જોડાયેલ કર્મચારીઓએ જણાવ્યુ હતું કે અમારા ધરણાં કાર્યક્રમનો મુખ્ય હેતુ BSNL મોબાઇલને 4G નેટવર્કની સુવિધા મળે જેથી ગ્રાહકોને પૂરતો સંતોષ થાય, ગ્રાહક વધુ BSNL નું નેટવર્ક વાપરે તો BSNL ની આર્થિક તંગી દૂર થાય. આ ઉપરાંત પગાર નિયમિત મળે તે અંગે માંગ કરી હતી. BSNL કંપનીની આર્થિક પરિસ્થિતી દિવસેને દિવસે તંગ બનતી જાય છે. તેવી પરિસ્થિતીમાં કંપનીને આર્થિક રીતે સદ્ધર બનાવવા કંપનીનાં કર્મચારીઓએ ધરણાં કાર્યક્રમ યોજાયો હતો અને સાથે કર્મચારીઓએ કંપનીની આર્થિક પરિસ્થિતી સુધારવા માટે 4G નેટવર્ક સુવિધાની માંગણી કરી જે નોંધપાત્ર બાબત છે.

Advertisement

Share

Related posts

વડોદરાના તરસાલી રીંગરોડ માર્ગ પર મોપેડ સવાર માતા અને દીકરી ઢોરની અડફેટે આવતા ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

અદાણી દહેજ પોર્ટ ખાતે સ્થાનિક વિદ્યાર્થી અને મહિલાઓ સાથે ફાયર સર્વિસ સપ્તાહની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ નગર એટલે ભારતનુ બીજા નંબરનુ સૌથી જુંનુ નગર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!