Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા એસ.ટી ડેપોમાં ફરજ બજાવતા ડ્રાઈવરે પોઇચા પુલ પરથી નર્મદા નદીમાં કેમ કૂદકો માર્યો રહસ્ય અકબંધ.

Share

* રાજપીપળાથી નાસિક રૂટ પર ફરતા ડ્રાઈવર આજે સવારે જ નાસિકથી રાજપીપળા ડેપો આવ્યા બાદ સાંજે પોઇચા પુલ પરથી કેમ છલાંગ લગાવીએ રહસ્ય અકબંધ.

રાજપીપળા એસ.ટી ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને હાલ રાજપીપળાથી નાસિક રૂટ પર ફરતા ચાલક અશિસ રણછોડભાઈ મુંડવાલા (ઉ.વ.૩૭) એ સવારે લગભગ 7 વાગ્યે નાસિક ટ્રીપ પરથી રાજપીપળા ડેપો આવ્યા બાદ સાંજે લગભગ 6 વાગ્યે પોઇચા પુલ પરથી કૂદકો મારતા એ સમયે પસાર થતી રાજપીપળા ડેપોની વડોદરા જતી બસના ચાલાક અને અન્યોએ તેને જોયા બાદ તુરત ડેપોમાં જાણ કરતા તાત્કાલિક રાજપીપળા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે સાંજના સમયે અંધારું થઈ જતા હજુ પોઇચાની નર્મદા નદીમાં છલાંગ લગાવનાર આશિષની કોઈ ભાળ મળી નથી આશીષએ ક્યાં કારણોસર આ પગલું ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે. ત્યારે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી રહી છે.

Advertisement

રાજપીપળા : આરીફ જી કુરેશી


Share

Related posts

સુરતમાં સોનાનાં ધરેણાં બનાવવાનાં કારખાનામાં કામ કરનાર કારીગર પર સોનું ચોરવાનો દોષ લગાવી તેને આત્મહત્યા કરવા મજબુર કરનારા કારખાનાનાં માલિક સહિત 6 લોકોની સુરત પોલીસે ધરપકડ કરી હતી.

ProudOfGujarat

માર ડાલો સાલોકો:ડેડીયાપાડા રેડ પાડવા ગયેલ એલસીબી પોલીસ પર બુટલેગરોએ તલવારથી હુમલો કર્યો,1 પોકો ઘાયલ.

ProudOfGujarat

રાજપીપળામાં ડેન્ગ્યુના દર્દીઓ વધતા આયુર્વેદ શાખા દ્વારા અમૃત પેય ઉકાળા વિતરણ શરૂ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!