Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : અંકલેશ્વરનાં ભંગારનાં ગોડાઉનમાં આગ લાગી.

Share

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર નજીક એક ભંગારનાં ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ ફાયર શાખાને જાણ કરવામાં આવતા આગ પર કાબૂ મેળવાયો હતો. આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચનાં અંકલેશ્વર હાઇવે નજીક બાજુમાં આવેલા ન્યુ ઈન્ડિયા માર્કેટમાં એક ભંગારનાં ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતાની સાથે જ અફરતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ કયાં કારણોસર લાગી હતી તેવી કોઈ વિગતો સ્પષ્ટપણે બહાર આવી નથી. આ આગ લાગતાની સાથે જ આસપાસનાં વિસ્તારનાં લોકો આ ભંગારનાં ગોડાઉન પાસે એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક ફાયર શાખાનો સંપર્ક સાધતાં ફાયર ફાઇટરોએ આગને કાબુમાં મેળવી હતી અને આગ થોડા જ સમયમાં આગ પર ફાયર શાખાનાં ફાયટરોએ આગ પર કાબૂ મેળવાયો હતો. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી તેવું જાણતા તંત્રએ રાહતનો દંભ લીધો હતો.

અત્રે નોંધનીય છે કે ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર વિસ્તારમાં અનેક ફેકટરીઓ આવેલી છે તેમજ અહીં ભંગારનાં ગોડાઉન પણ આવેલા હોય છે. આ બનેલી ઘટનામાં ભંગારનાં વાડામાં આગ લાગી હતી તે આગ કયાં કારણોસર લાગી હતી ? તે તો પોલીસ તપાસ થયા બાદ જ જાણવા મળશે. આગનાં બનાવની વધુ તપાસ અંકલેશ્વર પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ : કોરોનાથી બે લોકોના મોત, કુલ કેસોની સંખ્યા ૪૮૫૬ સુધી પહોંચી.

ProudOfGujarat

ભરૂચ : ભારતીય જનતા પાર્ટીની જન આશીર્વાદ યાત્રા પાલેજ ખાતે પહોંચી.

ProudOfGujarat

અભિનેત્રી જ્યોતિ સક્સેના કહે છે, “બ્રહ્માસ્ત્રને કારણે બૉલીવુડ ફરી એકવાર તેના આકર્ષણમાં જીવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!