Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાનાં ખરચી ગામે સોના ચાંદીના ઘરેણા તથા રોકડ રકમની ચોરી.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ખરચી ગામે રહેતા મીરાબેન મંગુભાઈ વસાવા મજૂરી તેમજ છૂટક ગલ્લો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઇકાલે ગામમાં લાઈટ ન હોઇ, તેઓ ઘરનો આગળનો દરવાજો ખુલ્લો રાખીને સુઈ ગયા હતા. સવારે જ્યારે તેઓ વહેલા ઉઠ્યા ત્યારે મકાનના બીજા રૂમમાં રાખેલ તિજોરી ખુલ્લી જોવામાં આવી હતી. તિજોરીમાં મુકેલા કપડાં બહાર વેરવિખેર પડેલા હતા. તિજોરીની અંદર તપાસ કરતા અંદર ખાનામાં મુકેલા સોના-ચાંદીના દાગીના જણાયા નહિં તેથી ચોરી થઇ હોવાની ખાતરી થવા પામી હતી. તેમણે ઘરના અન્ય સભ્યોને ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. કોઇ અજાણ્યા તસ્કરો ચાર જોડી ચાંદીના સાંકળા‌, ચાર જોડી ચાંદીના અછોડા, ત્રણ જોડી ચાંદીની લકી, બે જોડી સોનાના ઝુમ્મર, બે જોડી સોનાના કાપ અને રોકડા રૂપિયા ૧૧ હજાર મળીને કુલ રૂ. ૫૦,૦૦૦ નો મુદ્દામાલ ચોરી ગયા હતા. ચોરીની ઘટના બાબતે મીરાબેન મંગુભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

મોરબીના હરીપર ગામે પેટા કેનાલમાં પડી જતા યુવાન સહીત બે ના મોત

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ઝધડીયા, અંકલેશ્વર તાલુકાનાં નર્મદા નદીનાં કિનારાની નજીક રહેતા ગામનાં લોકોએ ભરૂચ જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પોતાની સમસ્યા જણાવી જાણો કઈ ?

ProudOfGujarat

અંકલેશ્વર ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ, જિનવાલા કેમ્પસ ખાતે પર્યાવરણ જાગૃતિ અંગે વ્યાખ્યાન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!