Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોરબીના હરીપર ગામે પેટા કેનાલમાં પડી જતા યુવાન સહીત બે ના મોત

Share

મોરબીના હરીપર (કેરાળા) ગામની સીમમાં આવેલ પેટા કેનાલ સાયફન પાસે પગ લપસતા કેનાલમાં પડી જતા યુવાન સહીત બે વ્યક્તિના મોત થયા હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.

બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ રાહુલસિંહ રણજીતસિંહ રાવત (ઉ.વ.૨૭) અને રૂપસિંહ સગુજી પઢીયાર (ઉ.વ.૪૫) બંને હરીપર-ગાળા પેટા કેનાલ પાસે બેસેલ હતા ત્યારે પગ લપસતા બંને કેનાલમાં પડી જતા પાણીમાં તણાઈ જતા પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યા હતા.

Advertisement

મૃતક રાહુલસિંહ મૂળ રાજસ્થાનના વતની હોવાનું જયારે રૂપસિંહ પઢીયાર અમદાવાદના વતની હતા જે બંને હાલ હરીપર (કેરાળા) ગામની સીમમાં આવેલ ક્લોરીસ પેકેજીંગ કારખાનામાં રહીને મજુરી કરતા હતા બંને પેટા કેનાલ પાસે બેઠા હોય ત્યારે પગ લપસતા કેનાલના પાણીમાં ડૂબી જતા મોત નીપજયા હતા. બનાવને પગલે મોરબી તાલુકા પોલીસે બંને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

મોરબીના હરીપર (કેરાળા) ગામની સીમમાં આવેલ પેટા કેનાલ સાયફન પાસે પગ લપસતા કેનાલમાં પડી જતા યુવાન સહીત બે વ્યક્તિના મોત થયા હોય જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.


Share

Related posts

દક્ષિણ ગોવામાં બાળક ચોરીની શંકામાં મારપીટની અનેક ઘટનાઓ, અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ.

ProudOfGujarat

જુના ભરૂચ ના વડાપાડા રોડ પર આવેલ વિસ્તાર માં પાણી ની લાઈન માં જોઈન્ટ નાખવા મુદ્દે સ્થાનિક વોર્ડ ૧૦ના કોર્પોરેટર ના પતિ એ કોન્ટ્રાક્ટર ને ધાક ધમકી આપી જોઈન્ટ નાખવા ની ના કહેતા પાણી વગર વલખા મારતા વિસ્તાર ના રહીશો એ વિરોધ પ્રદર્શન કર્યું હતું…….

ProudOfGujarat

ભરૂચ નગરની આસપાસ ના વિસ્તાર માં રસ્તા પર ફેંકાયેલી પી.પી.ઈ કીટો…કોરોના જેવી મહામારી ના સમય માં આવી બેદરકારી માટે કોણ જવાબદાર…?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!