Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજપીપળાની મુસ્લિમ હિન્દુની આસ્થાનું પ્રતીક નિઝામ શાહ નાંદોદ (ર.અ) દરગાહનું ઉર્ષ સાદગીથી ઉજવવામાં આવ્યું.

Share

રાજપીપળાનાં વિસ્તારમાં આવેલી હઝરત નિઝામ દાદાની દરગાહનો દર વર્ષે ઉર્ષ શાનો શોકતથી અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. સંદલમાં પણ મોટી માત્રામાં લોકો જોડાય છે અને બીજા દિવસે ઉર્ષ રાત્રે કવ્વાલીનો શાનદાર પ્રોગ્રામ રાખવામાં આવે છે પણ આ વર્ષે જે ભારત સહિત વિશ્વમાં જે કોરોનાની મહામારી ચાલી રહી છે અને જે સરકારની અને પોલીસને જે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે એનો પૂરેપૂરો ખ્યાલ રાખીને અને કોરોનાનો ચેપ ના વધે એ ધ્યાન રાખીને દરગાહના ઉર્ષ સાદગીથી ઉજવવામાં આવ્યો હતો.

નિઝામ શાહ મસ્જિદનાં ઇમામ સૈયદ જીલામી મિયા (ઉર્ફે કાદરી બાપુ) એ વધુમાં જણાવ્યું હતું કે દરગાહનો ઉર્ષ ૬૩૩ વર્ષથી ઉજવવામાં આવે છે એમાં હિન્દુ અને મુસ્લિમ આ દરગાહ પર આવીને પોતાની આસ્થા રાખી પૂરી કરે છે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

પંચમહાલ : દિવ્યાંગ મતદારો સુગમતાથી મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવાયેલી સુદ્રઢ વ્યવસ્થા.

ProudOfGujarat

ઝગડીયા તાલુકામાં શ્રીરામ ફાઉન્ડેશન દ્વારા ” વિશ્વ સ્તનપાન સપ્તાહ” ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે શુક્રવારના હાટ બજારમાં વ્યક્તિ બહુરૂપી બનીને આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!