Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડીનાં મુસ્લિમ સુફી અગ્રણીનું ૯૨ વર્ષની વયે નિધન.

Share

ભરૂચ જિલ્લાનાં ઝઘડીયા તાલુકાનાં રાજપારડી ગામે મુસ્લિમ અગ્રણી ખત્રી મોંહમદજી જમાલજીનું ૯૨ વર્ષની વયે ટુંકી માંદગી બાદ નિધન થયું હતું. આજે તા.૨૩ જુનનાં રોજ રાજપારડી ખાતે તેમનું અવસાન થતાં તેમની ઇચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને તેમના વતન ભાલોદ મુકામે લઇ જવાયો હતો, જ્યાં તેમની દફનવિધિ કરવામાં આવી હતી. સદગત સુરત સ્થિત ખાનકાહે ચિસ્તીયા-સુફી આસ્તાનાની ખિલાફત ધરાવતા હતા.”બાપુજી”ના હુલામણા નામે જાણીતા હતા. ઉપરાંત તેઓ આયુર્વેદિક ઔષધિઓનું બહોળુ જ્ઞાન ધરાવતા હતા. તેમના અવસાનના સમાચાર સોસિયલ મિડીયા દ્વારા ફેલાતા તેમના સંબંધીઓ અને ચાહકોમાં શોક ફેલાવા પામ્યો હતો.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ.

Advertisement

Share

Related posts

રાજકોટમાં આજે મોત શૂન્ય, બપોર સુધીમાં 8 કેસ નોંધાયા.

ProudOfGujarat

વાગરાની વિલાયત ચોકડી ખાતે યુવા કોંગ્રેસના રસ્તા રોકો આંદોલનમાં 18 કોંગી આગેવાનોની અટકાયત

ProudOfGujarat

નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓની ૧૪૦૦ વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!