Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા એ.પી.એમ.સી. માં વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના એ.પી.એમ.સી. એ પાછલા વર્ષો દરમિયાન સારો વિકાસ કર્યો છે. એ.પી.એમ.સી. દ્વારા સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ હેઠળ તાલુકાના ખેડૂતોને લાભ આપવામાં આવે છે. ચાલુ ટર્મમાં ઝઘડિયા એ.પી.એમ.સી. માં દિપકભાઈ પટેલ ચેરમેન તરીકે ચૂંટાયા હતા અને વાઇસ ચેરમેન તરીકે ગજેન્દ્રસિંહ પરમારની વરણી થઈ હતી, ત્યારબાદ વાઇસ ચેરમેન પદે યુવરાજસિંહ બારોટને નિમાયા હતા. બાદમાં વાઇસ ચેરમેને રાજીનામુ આપ્યા બાદ જગ્યા ખાલી પડતા હાલમાં ઝઘડિયા એ.પી.એમ.સી.માં ધારોલી ગામના યુવા સહકારી અગ્રણી પુષ્પેન્દ્ર સિંહ સુણવાની એ.પી.એમ.સી.ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. પુષ્પેન્દ્રસિંહ સુણવાએ એ.પી.એમ.સી. માં વાઇસ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવા બદલ સહુનો આભાર માન્યો હતો અને તેઓ તાલુકાના ખેડૂતો તેમજ એ.પી.એમ.સી.ના વિકાસ માટે હંમેશ પ્રયત્નશીલ રહેશે એવી લાગણી ઉચ્ચારી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

સારણના ખેડૂતોનો પ્રદૂષણ સામે આક્રોશ, પાકને નુકસાનની ફરિયાદ : હેમાની કોપર અને જી.એસ.પી. નિલકંઠ ઇન્વાયરો કંપનીમાંથી નીકળતા ગેસથી ખેતીને નુકસાન થતું હોવાનો આક્ષેપ

ProudOfGujarat

અંકલેશ્વર : ઝગડિયા જીઆઇડીસીની NCT ની  પાઈપલાઈનના ચેમ્બરમાંથી વેહતા ઓદ્યોગિક એફ્લુએન્ટ વરસાદી કાશમાં વેહતા ગ્રામજનોમાં રોષ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની ૨૨મી જૂને ૬૭ ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને ૧૪૮ પંચાયતોમાં પેટા ચૂંટણી થશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!