Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : સાઉથ આફ્રિકામાં કોરોના વકરતા ભારતીયો મુકાયા ચિંતામાં…

Share

સાઉથ આફ્રિકામાં કોરોના વકરતા મૂળ ભારતીયો ચિંતામાં મુકાયા છે. કોરોનાને કારણે સાઉથ આફ્રિકામાં અત્યંત ખરાબ હાલત હોવાનો મેસેજ વાયરલ થતાં મૂળ ભારતીયોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે જેના કારણે આફ્રિકામાં વસવાટ કરતાં ભારતીયોની હાલત ખરાબ થઈ હોવાનાં અહેવાલો સામે આવ્યા છે.

કોરોનાને કારણે સાઉથ આફ્રિકાનાં ડરબનનાં હિલાલ કબ્રસ્તાન સહિતનાં અન્ય કબ્રસ્તાનોમાં એક સાથે પાંચથી વધુ કબરનું ખોદકામ થતું હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ બે અઠવાડીયામાં અનેક લોકોના કોરોનાનાં કારણે મોત થયા હોવાનો આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે.

અહીં આ મેસેજ સામે આવતા ભારતીય પરિવારોનાં અનેક સભ્યો સાઉથ આફ્રિકામાં વસવાટ કરતાં હોય છે આથી ભારતીયો ચિંતામાં મુકાયા છે. ઉપરાંત આ મેસેજમાં એવો પણ દાવો કરાયો છે કે તાજેતરમાં છેલ્લા બે સપ્તાહમાં થયેલા મોત કોરોનાનાં કારણે થયા છે આથી ભારતીયો જે સાઉથ આફ્રિકામાં વસવાટ કરે છે તેમની મુશ્કેલી વધી છે. તેમજ હાલના સમયને ધ્યાનમાં રાખીને ભારતીયોને પોતાના વતનમાં પરત ફરવું છે ત્યાં રહીને કામ કરવું તેવી પણ મુંઝવણ સતાવે છે ? તેવામાં એક સાથે 5 થી વધુ કબરનું ખોદકામ થતું હોવાનાં અહેવાલો સામે આવતાં અને કોરોનામાં અનેક લોકોના મોત થતાં લોકો ઘેરી ચિંતામાં મુકાયા છે.

Advertisement

Share

Related posts

નર્મદા તથા છોટાઉદેપુર જીલ્લામાં ઘરફોડ ચોરી કરતા સીકલીગર ગેંગના સભ્યો પાસામાં ધકેલાયા.

ProudOfGujarat

ભરૂચના ઝાડેશ્વર જૈન સંઘ વિમલનાથ જિનાલયના આરાધના ભવનમાં પહ્મદર્શનવિજયજી મહારાજની પધામણી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર એન.એચ. 48 પર હિટ એન્ડ રન:ટ્રાફિક નિયમન કરતા પોલીસકર્મીનું મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!