Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજ પરની લાઇટો ચાલુ બંધ થતાં વાહન ચાલકો પરેશાનીમાં મુકાયા.

Share

ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર નગરપાલિકાનાં વિવિધ વિસ્તારોમાં ડિસ્કો લાઇટો ચર્ચાનો વિષય બની છે. ભરૂચ નગરપાલિકાનાં અંકલેશ્વર વિસ્તારમાં લાઇટો સતત ચાલુ બંધ થતી જોવા મળી છે. અંકલેશ્વરનાં ઓ.એન.જી.સી બ્રિજ પર લાઇટો પોતાની જાતે ચાલતી બંધ થતી હાલતમાં હોય આ લાઈટોની મરામતની કામગીરી કરવામાં આવે તેવી અહીંનાં વાહન ચાલકોની માંગણી છે.

અહીં નોંધનીય છે કે ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર સહિતનાં વિસ્તારોમાં હાઇવેને જોડતા બ્રિજ બંધવામાં આવ્યા છે. આ બ્રિજમાં મૂકવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો અવારનવાર બંધ હાલતમાં જોવા મળે છે. તાજેતરમાં ઓ.એન.જી.સી નજીક બ્રિજ પરની લાઇટો બંધ હાલતમાં હોય જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ વિસ્તારની ચાલુ બંધ થતી ખરાબ હાલતમાં પડેલી સ્ટ્રીટ લાઇટો વહેલી તકે ચાલુ કરવામાં આવે એવી અહીંનાં રાહદારીઓની માંગણી છે.

Advertisement

Share

Related posts

ઉર્વશી રૌતેલાએ તેમની ફિલ્મ વોલ્ટેર વેર્યાના કાર્યક્રમમાં મેગાસ્ટાર ચિરંજીવીના આશીર્વાદ લેતા દર્શકો પ્રભાવિત થયા

ProudOfGujarat

ભરૂચ ધોળીકુઇ દાંડિયા બજારનું શાક માર્કેટ બંધ કરી રોટરી કલબ નજીક નવી વ્યવસ્થા કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં કોરોનાનો કાળો કેર યથાવત તા. 3/7/2020 નાં રોજ કોરોના પોઝિટિવનાં વધુ 13 કેસો જણાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!