Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડેડીયાપાડાના ધારાસભ્યએ તૌકતે વાવાઝોડા અંતર્ગત થયેલ નુકશાનનું સર્વે કરી મદદ અર્થે મુખ્યમંત્રીને પત્ર લખ્યો.

Share

રાજપીપલા : કોરોના મહામારીમાં “તૌકતે” વાવાઝોડા એ સમગ્ર રાજયમાં કહેર વર્તાવ્યો છે. આ વાવાઝોડાથી રાજય સહિત અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારોમાં પણ વ્યાપક નુકશાન થયેલ છે. ત્યારે ખેડૂતોની સ્થિતિ “પડતા ઉપર પાટુ જેવી સર્જાય છે. ખેડુતોએ મહામહેનતે તૈયાર કરેલા પાકોને કુદરતી વાવાઝોડાએ જમીન ધોખ કરતા ખેડુતોને મોટું નુકશાન થતા રડવાનો વારો આવ્યો છે. બિયારણ, ખાતર, દવા, ખેત ઓજારો ડિઝલના ભાવ વધતા જાય છે. બીજી તરફ ખેડુતોને ખેત-પેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી લાખો રૂપીયાના ખર્ચા કરી મગ, શેરડી, મકાઈ, મગફળી અને શાકભાજી જેવા ખેતીપાકો તથા આંબા, કેળ, તરબુચ, નાળીયેરી, પપૈયા જેવા બાગાયતી પાકો, સંગ્રહેલ અનાજ, ઘાસચારાને આ વાવાઝોડામાં ભારે નુકશાન થયેલ છે. કેન્દ્ર સરકારે ૧૦૦૦ કરોડ રાહત પેકેજની જાહેરાત કરી હોવા છતા પણ આજ દિન સુધી ખેતીવાડી વિભાગના અધિકારીઓ કે બાગાયત વિભાગના અધિકારીઓ ખેડુતો સુધી પહોચ્યા નથી જે ગંભીર બાબત છે. જેથી કાચા-પાકા મકાનો, ખેતીપાકો અને બાગાયતી પાકોને થયેલ વ્યાપક નુકશાનીનું સર્વે તાલુકા પંચાયતના અધિકારીઓ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને બાગાયતી વિભાગના અધિકારીઓ મારફતે કરાવી સત્વરે સહાય ચુક્વવામાં આવે એવી માંગ કરી છે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

વડોદરા ખાતે બંધ મકાનમાં જુગાર રમતા ૮ આરોપીઓ ઝડપાયા,રોકડા રૂપિયા ૧,૧૦,૭૫૦ તેમજ ત્રણ વાહન અને મોબાઈલ નંગ-૧૧ મળી કુલ રૂપિયા ૩,૫૯,૭૫૦ ની મત્તા જપ્ત. વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને મળેલ સફળતા…

ProudOfGujarat

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી 100 મીટર લંબાઈની LED લાઇટની ચોરી : સી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીની કરી ધરપકડ.

ProudOfGujarat

વડોદરાના સયાજીગંજમાં ગાંજા સાથે બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!