Proud of Gujarat
GujaratFeaturedINDIA

સર્જન પહેલા વિસર્જનનું ધ્યાન રાખી અમદાવાદી મહિલાએ બનાવ્યા 35 કિલોના ચોકલેટ ગણપતિ..

Share


અમદાવાદ: ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ચતુર્થીની ધુમધામથી ઉજવણી ચાલી રહી છે. પર્યાવરણને ધ્યાનમાં રાખીને હાલ ઈકો ફ્રેન્ડલી મુર્તિઓનું ટ્રેન્ડ વધ્યુ છે. ભક્તો સિક્કા અને હીરોમોતી જડીને મુર્તિઓ બનાવતા હોય છે. તો કેટલાક ભક્તો માટીની ઈકો ફ્રેન્ડલી મુર્તિ બનાવે છે. અમદાવાદમાં ચોકલેટનો બિઝનેસ કરતી મહિલાએ સર્જન પહેલા વિસર્જનનું ધ્યાન રાખીને 35 કિલોના ચોકલેટના ગણપતિ બનાવ્યા છે.
1500થી લઈને 20000 સુધીની મુર્તિઓ

શિલ્પાબેન ભટ્ટને ચોકલેટનો બિઝનેસ હોવાથી ચોકલેટના ગણપતિ બનાવવાનો વિચાર આવ્યો હતો. ગત વર્ષે તેમને ચોકલેટના ગણપતિ બનાવવાનું શરૂ કર્યું હતું. આ વર્ષે લોકોએ ઈકો ફ્રેન્ડલી ચોકલેટના ગણપતિના બનાવવા માટે ઓર્ડર્સ આપ્યા. 1500રૂ. થી લઈને 20000 સુધીની ચોકલેટની મુર્તિઓ તૈયાર કરાઈ હતી.

Advertisement

દુધથી વિસર્જન કરીને શેક પ્રસાદરૂપે વહેંચાશે

પીઓપીના ગણપતિથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચે છે, જેથી ચોકલેટના ગણપતિ બનાવ્યા હતા. કુકિંગ ચોકલેટ અને કોર્ન સિરપના મિશ્રણથી ચોકલેટના ગણપતિ તૈયાર કરાયા. દુધથી વિસર્જન કરીને જે શેક બનશે તેને ગરીબોમાં પ્રસાદરૂપે વહેંચાશે…સૌજન્ય


Share

Related posts

ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકામાં આદિજાતિ વિસ્તારમાં સિંચાઈ સુવિધા માટે તાપી – કરજણ પાઈપલાઈન ઉદવહન સિંચાઈ યોજના અને સૈનિક શાળાનું ખાર્તમુહૂર્ત મા. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે કરવામાં આવ્યું.

ProudOfGujarat

ઇન્ડિયા ગંઠબંધન ને લઈ ભરૂચ કોંગ્રેસ ની મહત્વની બેઠક સર્કિટ હાઉસ ખાતે આવતી કાલે યોજાય તેવી શક્યતા

ProudOfGujarat

ભરૂચની યુનિયન સ્કૂલ ખાતે સિનિયર સીટીઝન માટે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!