Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા : તિલકવાડા તાલુકા યુવા મોરચાના કાર્યકરો દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.

Share

તિલકવાડા તાલુકા યુવા મોરચા દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી સ્વરૂપે ૭ વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણીના ભાગરૂપે સેવાકીય પ્રવૃતિઓ તિલકવાડા ખાતે કરવામાં આવી હતી. જેમાં તિલકવાડા તાલુકા યુવા મોરચા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું જેમાં પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી કૌશલભાઈ દવે, પ્રદેશ સુરજભાઈ દેસાઈ સાથે જિલ્લા મહામંત્રી નિલભાઇ રાવ બીજા જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તડવી તેમજ તાલુકા ભાજપ પ્રમુખ બાલુભાઈ બારીઆ તેમજ જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ લુહાર અને જિલ્લા યુવા મોરચાના મહામંત્રી અને રાજપીપળા શહેર સંગઠન મહામંત્રી અજીતભાઇ પરીખ સાથે જિલ્લા આઇ.ટી.સેલ કન્વિનર યતીનભાઇ નાયક અને જિલ્લા આઇ.ટી.સેલ સહ કન્વિનર ગૌરાંગ બારીઆ સાથે તાલુકા અને જિલ્લા ના અન્ય મહાનુભાવ અને હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે 29 યુનિટ રક્ત એકત્રિત કરી બ્લડ બેન્ક રાજપીપલાને સુપરત કર્યું હતું.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

શહેરા બસ સ્ટેશન પાસે રમાતા જુગાર ધામ પર પોલીસનો દરોડો ૧૮જુગારીઓ પકડાયા

ProudOfGujarat

વિરમગામ તાલુકાના વણી ગામના સરપંચ તરીકે નાથાભાઇ સિંધવ ફરી ચાર્જ સંભાળશે

ProudOfGujarat

વરસાદી માહોલ : ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે માટીની સુહાસ પ્રસરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!