Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નર્મદા બંધના પાવરહાઉસ માંથી 45 હજાર ક્યુસેક પાણી છોડતા નર્મદા નદી બે કાંઠે વિયરડેમ થયો ઓવરફ્લો..

Share

ગૂજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધના પાવરહાઉસ માંથી 45 હજાર ક્યુસેક પાણી છોડતા આજે નર્મદા નદીભર ઉનાળે બે કાંઠે વહેતી થઈ છે.જેને કારણે વિયરડેમ થયો ઓવરફ્લો થયો છે.રિવરબેડ પાવરહાઉસ ના 5 ટર્બાઇન હાલ ધમધમતા થતા વીજ ઉત્પાદન પણ શરૂ થયુ છે.
આ વર્ષે ચોમાસુ સારું અને વહેલું છે ત્યારે નર્મદા બંધને આગામી ચોમાસાની ઋતુમાં મહત્તમ સપાટીએ ભરવા નર્મદા નિગમ સજ્જ બન્યું છે ત્યારે હજુ નર્મદા ડેમ 50 ટકા ભરેલો છે એટલે પાણી ખાલી થાય અને વીજળી વધુમાં વધુ ઉત્પાદન કરી શકે એ માટે રિવરબેડ પાવરહાઉસ ના 5 ટર્બાઇન હાલ ધમધમી રહ્યા છે અને 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે જેને કારણે નર્મદા નદીમાં પાણીનો વિપુલ જથ્થો ઠલવાતા નર્મદા નદી હાલ 30 મીટર થી વધુ પાણી વહી રહ્યું છે જેને કારણે ગરુડેશ્વર પાસે આવેલ વિયર ડેમ કમ કોઝવે ઓવરફ્લો થયો વિયર ડેમનો સુંદર નજારો જોવા પ્રવાસીઓ પણ ઉમટી રહ્યા છે સામાન્ય રીતે નર્મદા બંધમાં થી પાણી છોડવામાં આવતા આ વિયર ડેમ ઓગસ્ટ સપ્ટેમ્બર માં છલકાતો હોય છે પરંતુ હાલ ટર્બાઇન ના ડિસ્ચાર્જ માંથી છોડાતું પાણી નર્મદા નદીમાં પડતા હાલ ઓવર ફ્લો થયો છે.

રિપોર્ટ-જ્યોતિ જગતાપ રાજપીપલા

Advertisement

Share

Related posts

આગામી બકરી ઈદ નિમિત્તે કાયદેસરના પશુઓને ન પકડવા બાબતે રાજ્યના ગૃહમંત્રી ને સંબોધી મુસ્લીમ સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું……

ProudOfGujarat

માસ્ટરનો ટાર્ગેટ માંગરોલા-અંકલેશ્વર કોંગ્રેસમાં ગાબડું-મગન પટેલ (માસ્ટર)એ સમર્થકો સાથે પાર્ટીને કરી બાય-બાય, ટીકીટ વહેંચણી મુદ્દે નારાજગી વ્યક્ત કરી આપ્યું રાજીનામું.

ProudOfGujarat

“બસ આ નિર્દોષતા જાળવી રાખો, તમે ખૂબ પ્રગતિ કરશો..” સુપ્રસિદ્ધ અભિનેતા જાવેદ અખ્તર મિર્ઝાપુર 3 કવિ પલ્લવ સિંહને એન્ગ્રી યંગ મેનની સ્ક્રીનિંગમાં કહે છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!