Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રાજપીપળા નગરપાલિકા દ્વારા ૮૬ લાખના ખર્ચે અદ્યતન સ્મશાન નવું ગૃહ બનશે

Share

રાજપીપલામા એક માત્ર સ્મશાન ગૃહ આવેલું છે. જે સામાજિક સંસ્થાના યુવકો દ્વારા ચલાવવા મા આવે છે.જ્યાં કોરોનામા આ વખતે મૃતકોની સંખ્યા વધી ગઈ હતી ત્યારે નગરમાં ભવિષ્ય ને ધ્યાને લેતા વધુ એક અધ્યતનસ્મશાન ગૃહની જરૂર છે એ જોતા રાજપીપળા નગરપાલિકા દ્વારા ૮૬ લાખન
ખર્ચે અદ્યતન સ્મશાન નવું ગૃહ બનાવવાના ચક્રો ગતિમાન થયા છે.ગુજરાતસરકારે ૮૬ લાખ રૂપિયાની ગ્રાંટ ફાળવી
છે.રાજપીપળા નગરપાલિકા દ્વારા શહેરનાજુના કોટ વિસ્તારમાં અદ્યતન સ્મશાન ગૃહ બનાવાશે.આગામી સમયમાં ૧૩૭૧ચો.મી ની વિશાળ જગ્યામાં ૧૦ ટની કંપાઉન્ડ વોલ વાળુ આધુનિક પદ્ધતિથીઅધતન સ્મશાન ગૃહ આકારપામશે.એ સ્મશાન ગૃહમાં પ્રાર્થના હોલ,ઇલેક્ટ્રિક ભઠ્ઠી, ગેસ ભઠ્ઠી, ભવ્ય મંદિર,
શંકર ભગવાનની ભવ્ય પ્રતિમા
,લાકડાઓ સ્ટોરેજ કરવાનો મોટો રૂમ અને
૩ મૃતદેહો એક સાથે રાખી શકાય એટલીક્ષમતાનું કોલ્ડ સ્ટોરેજ, પીવાના પાણી અને શૌચાલયની સુવિધાઓ પણઉપલબ્ધ કરાશે. રાજપીપળા પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે કોરોના કાળમાં મૃત્યુ આંક વધ્યો હતો,અગ્નિદાહ માટે લોકોએ રાહ જોવી પડતી હતી.રાજપીપળા અને આસપાસના ગામોમાં વસ્તી પણ વધી રહી છે જેથીબીજું સ્મશાન ગૃહ જરી બન્યું હતું. લોકોની સુવિધા માટે જ આ નિર્ણય લીધો છે. અમે અધિકારીઓ સાથે એ જગ્યાની મુલાકાત લઈ પ્લાનિંગ કરી લીધું છે, ટૂંક સમયમાં અદ્યતન સ્મશાન તૈયાર થઈ જશે.

જ્યોતિ જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : તીર્થ નગર સોસાયટીમાં વરસાદી પાણીનો નિકાલ ન આવતા સ્થાનિકોમાં રોષ.

ProudOfGujarat

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક એક યુવાન પાસેથી 1,20,000 બળજબરીપૂર્વક લઈ ગયા હોવાની ફરિયાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાવવા પામી છે.

ProudOfGujarat

ભરૂચ રેલ્વે યાર્ડમાં ટ્રેનનાં ડબ્બા પર ચઢી ગયેલા યુવાનને કરંટ લાગતા દાઝી જતાં ભરૂચ સિવિલ હોસ્પીટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!