Proud of Gujarat
INDIAGujaratLifestyle

ગૌતમ અદાણીની નેટવર્થ 39 હજાર કરોડ રૂપિયા ઘટી : ગુમાવ્યો એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિનો એવોર્ડ.

Share

અદાણી ગ્રુપની કંપનીઓમાં રોકાણ કરનારા વિદેશી રોકાણકારોના ખાતા ફ્રીઝ થવાના સમાચારથી ગૌતમ અદાણીની પ્રતિષ્ઠાને ઝટકો લાગ્યો છે. ફોર્બ્સના વિશ્વના અમીરોના લિસ્ટ અનુસાર, શેરમાં ઘટાડાથી ગૌતમ અદાણીની નેટવર્થમાં 5.4 બિલિયન ડોલર લગભગ 39 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઘટાડા પછી ગૌતમ અદાણી ફોર્બ્સ લિસ્ટમાં સૌથી વધુ અમીરોમાં 16 માં સ્થાને પહોંચી ગયા છે. શેરોના કારણે નેટવર્થમાં આવેલા ઘટાડાથી ગૌતમ અદાણીએ એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિનો એવોર્ડ પણ ગુમાવ્યો છે. ફોર્બ્સના લિસ્ટ અનુસાર ચીનના જોંગ શાનશાન હવે એશિયાના બીજ સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. જ્યારે ગૌતમ અદાણી ત્રીજા સૌથી અમીર વ્યક્તિ છે. છેલ્લા 24 કલાકમાં જોંગ શાનશાનની નેટવર્થમાં 2.1 બિલિયન ડોલરનો ઘટાડો આવ્યો છે. હવે શાનશાનની કુલ નેટવર્થ 70 બિલિયન ડોલર થઈ ગઈ છે. જ્યારે ગૌતમ અદાણીની નેટવર્થ 69.5 બિલિયન ડોલર છે. જોકે શાનશાનની નેટવર્થ ગૌતમ અદાણીથી માત્ર 0.5 બિલિયન ડોલર વધુ છે. ગૌતમ ઝડપથી શાનશાનને પછાડી શકે છે.

ફોર્બ્સના લિસ્ટ મુજબ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી 87.7 બિલિય ડોલરની નેટવર્થની સાથે એશિયાની સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. છેલ્લા 24 કલાકમાં મુકેશ અંબાણીની નેટવર્થમાં 1.9 બિલિયન ડોલર લગભગ 13.91 હજાર કરોડ રૂપિયાનો વધારો થયો છે. તાજા આંકડાઓ મુજબ, મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની નેટવર્થનું અંતર વધીને 18.2 બિલિયન ડોલર લગભગ 1.33 લાખ કરોડ રૂપિયા થયું છે. મુકેશ અંબાણી ફોર્બ્સ લિસ્ટમાં 11 માં નંબરે છે.

Advertisement

રોકાણકારોના ખાતા ફ્રીઝ થવાના સમાચારથી સોમવારે અદાણી ગ્રુપની 6 લિસ્ટેડ કંપનીઓના શેરમાં 5 ટકાથી 22 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ અદાણી એન્ટરપ્રાઈઝના શેર તૂટ્યા. સોમવારે અદાણી એન્ટરપ્રાઈઝીઝના શેર ઈન્ટ્રા-ડેમાં 22 ટકા તૂટીને 1201 રૂપિયા પ્રતિ યુનિટ સુધી આવી ગયા હતા. જોકે કારોબારના અંતિમ કલાકોમાં રિકવરી જોવા મળી.


Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી માં આવેલ “રામદેવ કેમિકલ” માંથી ગેરકાયદેસર રીતે પ્રદુષિત પેકીંગ મટેરિયલ બહાર નિકાલ કરતા ઝડપાયા. જીપીસીબી એ નોટિસ આપી કાર્યવાહી હાથ ધરી…

ProudOfGujarat

અરવલ્લી : SP શૈફાલી બારવાલે 3 PSI અને 4 પોલીસકર્મીઓની આંતરિક બદલી કરી, હજુ વધુ બદલીઓ થવાના એંધાણ

ProudOfGujarat

માંગરોળના વાંકલ ખાતે દિવ્ય પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મંદિર, પ્રયોજન રેસીડેન્સી, સત કૈવલ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!