Proud of Gujarat
Uncategorized

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખ જાહેર થઈ,જાણો ભરુચ જિલ્લાનું પરિણામ ..?

Share

ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. ત્યારે હવે આ આતુરતાનો અંત આવ્યો છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે 31 જુલાઈના રોજ જાહેર થશે. સવારે 8 કલાકે પરિણામ (result) ઓનલાઇન જાહેર કરાશે.

કોરોનાની મહામારીના કારણે આ વર્ષે ધો. 10 તથા ધો.12 બોર્ડના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઈટ result.gseb.org પર પરિણામ મૂકવામાં આવશે. આ બાદ દરેક સ્કૂલોએ ઈન્ડેક્ષ નંબર અને પાસવર્ડ દાખલ કરીને તે મેળવવાનુ રહેશે. આ બાદ જ વિદ્યાર્થીઓને પરિણામ મળી શકશે.

Advertisement

ગુજરાત હાઇકોર્ટમાં મેટર હોવાના કારણે સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો હતો. અગાઉ જુલાઈ મહિનાના અંતમાં પરિણામ જાહેર થવાનુ હતું. પરંતુ ધોરણ 10 ના ગણિત વિષયના માર્ક 12 કોમર્સમા ગણવા અંગે હાઈકોર્ટમાં પિટીશન થઈ હતી. જેના બાદ હાઈકોર્ટે ચુકાદો અનામત રાખ્યો હોવાથી પરિણામ અટક્યુ હતું. કોર્ટના ચુકાદા બાદ પરિણામ જાહેર થવાનું હતું.


Share

Related posts

ભરૂચમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને પ્રગતિ યાત્રા જનકલ્યાણ શિબિરના આયોજન અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

અધિકમાસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે બ્રહ્મભોજનનું આયોજન : ગૌપૂજન અને પુણ્યદાન સાથે મોટી અગિયારસે ભક્તિમય માહોલ

ProudOfGujarat

ભરૂચની 250 વર્ષ જૂની જગન્નાથ રથયાત્રા બાદ વિવાદ : ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની પ્રતિમાઓ મંદિરના ગર્ભગૃહમાં જોવા ન મળતાં ચર્ચા : પ્રતિમાઓ સુરતની ઇસ્કોન રથયાત્રા માટે લઈ જવામાં આવી હોવાનો દાવો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!