Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : દશામાં, તાજિયા અને ગણેશોત્સવ દરમિયાન કુદરતી જળસ્ત્રોતને પ્રદુષિત થતું અટકાવવા સત ચેતના પર્યાવરણ સંગઠન દ્વારા ઘનિષ્ઠ અભિયાન.

Share

સત ચેતના પર્યાવરણ છેલ્લા આઠ વર્ષથી ભરૂચમાં પર્યાવરણલક્ષી વિવિધ કાર્યો કરે છે, આ પર્યાવરણલક્ષી કાર્યોમાં વિવિધ ધાર્મિક ઉત્સવોમાં પણ પર્યાવરણનું પ્રદૂષણ થાય છે તે અંતર્ગત જાહેર જનતાને જાગૃત કરવા અભિયાન કરવામાં આવી રહ્યા છે.

નજીકના દિવસોમાં દશામાં, તાજિયા અને ગણેશોત્સવ જેવા હિન્દુ, મુસ્લીમના ધાર્મિક તહેવારો આવી રહ્યા છે ત્યારે ભરૂચની જનતા પર્યાવરણપ્રેમી અને ધર્મપ્રેમી છે ગત વર્ષે ભરૂચની જનતાએ 1500 જેટલી માટીની મૂર્તિઓનું સ્થાપના કરી હતી જેને અનુલક્ષીને પર્યાવરણ બચાવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું હતું. તે જ રીતે આ વર્ષે પણ ભરૂચની પ્રજા પર્યાવરણ બચાવવા માટે ખાસ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે, ભરૂચ પંથકમાં દર વર્ષે પી.ઓ.પીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે જેથી પી.ઓ.પી. ની મુર્તિથી માં નર્મદા મૈયાને પ્રદુષિત ન કરીને માટીની મુર્તિ સ્થાપવા અપીલ કરવામાં આવી હતી.

પી.ઓ.પી. ની મુર્તિના રંગ અને રસાયણથી નર્મદા નદી પ્રદુષિત થાય છે તે સાથે તેમાં રહેલા જળચર પ્રાણીઓ મૃત્યુ પામે છે અને આ પ્રતિમાઓ વિસર્જન બાદ થોડા સમયમાં કિનારા પર વિકૃત હાલતમાં આવતી જોવા મળે છે જેને લઈને આવી મૂર્તિઓ કુદરતી જળસ્ત્રોતમાં ન વિસર્જિત કરી અને કૃત્રિમ જળકુંડ બનાવવામાં આવે તેવી સત ચેતના પર્યાવરણ સંગઠનની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

Advertisement

રિધ્ધી પંચાલ , ભરુચ


Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં નવી પેન્શન યોજના અંતર્ગત અનોખો વિરોધ.

ProudOfGujarat

ભરૂચમાં “સ્વતંત્રતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકાના વિપક્ષનાં સભ્યો દ્વારા શાળાના બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું

ProudOfGujarat

ભરૂચ : આપ દળ થયું મજબૂત : ભાજપના યુવા સક્રિય કાર્યકર અભિલેશસિંહ ગોહિલ પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!