Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચની દયનીય હાલત મુદ્દે AIMIM દ્વારા કલેકટર તેમજ ન.પા.ના ચીફ ઓફિસરને આવેદન આપ્યું.

Share

ભરૂચ જીલ્લામાં ગંદકી તેમજ બિસ્માર રસ્તાઓના કારણે લોકો ઘણા હેરાન પરેશાન થઇ ચુક્યા છે ત્યારે આવનારા સમયમાં તહેવારો આવી રહ્યા છે. આજરોજ AIMIM દ્વારા ભરૂચ શહેરમાં સાફ સફાઈ કરવા તેમજ વરસાદ હવે જવાની તૈયારી છે ત્યારે બિસ્માર રસ્તા અને મસમોટા પડેલ ખાડાઓની હાલત સુધારવા માટે ભરૂચ જીલ્લા કલેકટર તેમજ ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.

આગામી ૧૯ મી ઓક્ટોબરના રોજ ઈદે મિલાદ આવી રહી છે ત્યારે સમગ્ર મુસ્લિમ સંપ્રદાયના લોકો માટે ઘણો મોટો દિવસ માનવામાં આવે છે જેથી પશ્ચિમ વિસ્તારમાં આવેલ શેરી–સોસાયટી-ફળીયાઓને સાફ કરવાની કામગીરી કરવા અરજી કરવામાં આવી છે, ઈદે મિલાદનું જુલુસ કાઢવાનું હોય ત્યારે રસ્તાઓની હાલત ઘણી દયનીય છે. મસમોટા ખાડા પડી ગયા હોવાથી ઘણી મુશ્કેલી આવે તેમ છે તેથી રસ્તાઓનું પેચવર્ક કરી આપવાની કામગીરી વહેલી તકે હાથ ધરે તેમ કહેવામાં આવ્યું હતું.

જેમાં બાયપાસથી મહંમદપૂરા, ઢાલ, ચાર રસ્તાથી લઈને ગાંધી બજાર, ચુનાવાળા ચોક, ફાટા તળાવ મંદિર, લાલબજાર પોલીસ ચોકી સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે, જેમાં જુલુસ આ રસ્તાઓ પરથી જ કાઢવાનું છે ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા જણાવવામાં આવ્યુ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાનાં રિક્ષા ચાલકો દ્વારા આજે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય અને રાહતવાળું પેકેજ આપવાની માંગણી કરી હતી.

ProudOfGujarat

મોજ શોખ માટે મોટરસાયકલ ની ઉઠાંતરી કરતા બે ઇસમોને ચોરીની ત્રણ મોટરસાયકલ સાથે ભરૂચ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……

ProudOfGujarat

SGFI જુડો સ્પર્ધામાં હાંસોટ તાલુકાની ગુરુકુળ શાળાના છાત્રોએ 17 મેડલ મેળવ્યાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!