Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચની દયનીય હાલત મુદ્દે AIMIM દ્વારા કલેકટર તેમજ ન.પા.ના ચીફ ઓફિસરને આવેદન આપ્યું.

Share

ભરૂચ જીલ્લામાં ગંદકી તેમજ બિસ્માર રસ્તાઓના કારણે લોકો ઘણા હેરાન પરેશાન થઇ ચુક્યા છે ત્યારે આવનારા સમયમાં તહેવારો આવી રહ્યા છે. આજરોજ AIMIM દ્વારા ભરૂચ શહેરમાં સાફ સફાઈ કરવા તેમજ વરસાદ હવે જવાની તૈયારી છે ત્યારે બિસ્માર રસ્તા અને મસમોટા પડેલ ખાડાઓની હાલત સુધારવા માટે ભરૂચ જીલ્લા કલેકટર તેમજ ભરૂચ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં આવેદન પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી.

આગામી ૧૯ મી ઓક્ટોબરના રોજ ઈદે મિલાદ આવી રહી છે ત્યારે સમગ્ર મુસ્લિમ સંપ્રદાયના લોકો માટે ઘણો મોટો દિવસ માનવામાં આવે છે જેથી પશ્ચિમ વિસ્તારમાં આવેલ શેરી–સોસાયટી-ફળીયાઓને સાફ કરવાની કામગીરી કરવા અરજી કરવામાં આવી છે, ઈદે મિલાદનું જુલુસ કાઢવાનું હોય ત્યારે રસ્તાઓની હાલત ઘણી દયનીય છે. મસમોટા ખાડા પડી ગયા હોવાથી ઘણી મુશ્કેલી આવે તેમ છે તેથી રસ્તાઓનું પેચવર્ક કરી આપવાની કામગીરી વહેલી તકે હાથ ધરે તેમ કહેવામાં આવ્યું હતું.

જેમાં બાયપાસથી મહંમદપૂરા, ઢાલ, ચાર રસ્તાથી લઈને ગાંધી બજાર, ચુનાવાળા ચોક, ફાટા તળાવ મંદિર, લાલબજાર પોલીસ ચોકી સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે, જેમાં જુલુસ આ રસ્તાઓ પરથી જ કાઢવાનું છે ત્યારે તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવા જણાવવામાં આવ્યુ હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : નેશનલ હાઇવે ઉપર તિરંગા હોટલ નજીક સરકારી એસ.ટી બસને અકસ્માત નડયો.

ProudOfGujarat

રાજપીપલા કાછીયાવાડની મહિલાની અનોખી ગણેશ ભક્તિ : 81વર્ષ પુરાણા રાજપીપલાના રત્ન ગણેશ મન્દિરનું અનોખું ધાર્મિક મહાત્મ્ય

ProudOfGujarat

ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત થનાર પોલીસ કર્મીને વિદાયમાન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!