Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર જીઆઇડીસી ની સજજન ઇન્ડિયા કંપનીમાં આગ લાગતાં દોડધામ…

Share

આજરોજ સવારના સમયે અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આવેલ સજજન ઇન્ડિયા કંપનીમાં કોઈક અગમ્ય કારણોસર એકાએક આગ લાગી હતી.

બનાવ અંગે મળતી માહિતી અનુસાર જીઆઇડીસી કેમિકલ ક્ષેત્રનું ઘણું મોટુ હબ છે જેમાં કેટલીકવાર કેમિકલમાં આગ લાગી જતી હોય છે ત્યારે તેવી જ ઘટના સામે આવી હતી. આજરોજ લગભગ 12 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી જેથી કામદારોમાં ભાગદોડ મચી જતા અફરાતફરીનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. આ વાતની જાણ ફાયર ફાઇટરોને થતા ફાયર ફાઇટરો પોતાના વાહનો સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવી લેવાતા કામદારોમાં હાશકારાની લાગણી ફેલાઈ ગઈ હતી. જોકે હજી સુધી આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

મુકેશ વસાવા : અંકલેશ્વર

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં રવિવારી બજાર કોરોના વાઇરસને પગલે બંધ કરવા રાજય સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યો.

ProudOfGujarat

2023 થી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 9 માં 67 વ્યાવસાયિક વિષયો દાખલ કરાશે.

ProudOfGujarat

MS University માં આજથી ઓફલાઇન શિક્ષણ શરૂ : આ વિદ્યાર્થીઓને મળશે એન્ટ્રી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!