Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળના વસ્તાન ગામે દીપડાએ ચાર બકરાનો શિકાર કર્યો.

Share

વસ્તાન ગામના ખેડૂત પશુ પાલક અબ્દુલભાઇ આદમભાઈ રંદેરાના ઘર આંગણે બાંધેલ ચાર બકરાઓનો રાત્રી દરમિયાન દીપડાએ શિકાર કર્યો હતો. રહેણાક વિસ્તારમાં દીપડા પશુનું મારણ કરતા સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. આ ઘટનાની જાણ સવારે વાંકલ રેન્જ વન વિભાગ કચેરીને કરવામાં આવતા વન વિભાગ દ્વારા પશુપાલકને નુકશાનીનું વળતર મળે એ માટેની જરૂરી કાર્યવાહી હાલ કરવામાં આવી છે. ત્રણ બકરા મૃત હાલતમાં સ્થળ પર મળી આવ્યા હતા જ્યારે એક બકરાને દીપડો ઉઠાવી ગયો હોવાનું ખેડૂત પશુપાલન કે જણાવ્યું છે. વસ્તાન ગામમાં અગાઉ એક મહિલા પશુપાલકની ગાયનું દીપડાએ મારણ કર્યું હતું. ત્યારબાદ અવારનવાર દીપડો શિકારની શોધમાં ગામ તરફ આવી રહ્યો હતો. દિપડા દ્વારા બીજીવાર ગામમાં પશુનું મારણ કરવામાં આવ્યું છે ત્યારે વનવિભાગ દ્વારા આવી ઘટના ન બને તે માટેની જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી વસ્તાન ગામના લોકો કરી રહ્યા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચમાં દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે ઉમટ્યું માઈભક્તોનું ઘોડાપૂર…

ProudOfGujarat

સુરત : આ વર્ષે પણ નહિ નીકળે રથયાત્રા : ગાઈડલાઈનને મહંતો દ્વારા રથયાત્રા નહિ કાઢવાનો નિર્ણય લેવાયો.

ProudOfGujarat

ભરૂચના શ્રી શંકરાચાર્ય મઠ દ્વારકાશારદાપીઠ સંચાલિત શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરને અસામાજિક તત્વ એ નિશાન બનાવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!